ફરી એક વખત કોંગ્રેસમાં દેખાયા મતભેદ, એક નેતાએ કર્યું વાતનું સમર્થન તો બીજા નેતાએ વાતને વખોડી,જાણો શું છે સમગ્ર મામલો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 18:20:02

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓના જૂના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાના અનેક વીડિયો સામે આવી રહ્યા છે. એક વીડિયોમાં તેમણે વડાપ્રધાન મોદીની માતા માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે.  જે બાદ ગુજરાતમાં વિવાદ સર્જાયો હતો. ત્યારે ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં આવી ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર આવ્યા છે. જ્યારે છત્તીસગઢના મુખ્યમંત્રીએ ભાજપને ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે મોદીના માતા 100 વર્ષના છે અને રાજકારણ સાથે કોઈ લેવાદેવા પણ નથી ત્યારે આ પ્રકારની ટિપ્પણી યોગ્ય નથી. 

PM Modi's mother Hiraba Modi to enter 100th year on June 18 - BusinessToday

ભૂપેશ બઘેલે હીરા બા પર થયેલી ટિપ્પણીને વખોડી 

ગુજરાતમાં કોંગ્રસ સક્રિય થઈ ચૂંટણી પ્રચાર નથી કરી રહી. કોંગ્રેસમાં ચાલતો આંતરિક વિવાદ અનેક વખત સામે આવી ચૂક્યો છે. ત્યારે ફરી એક વખત કોંગ્રેસની વિચારધારામાં મતભેદ જોવા મળ્યો છે. ગોપાલ ઈટાલિયાના વિવાદિત વીડિયો પર અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે પરંતુ આમાં પણ મતભેદ જોવા મળ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે એક નિવેદનમાં ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં વાત કરી છે જ્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ વાતને વખોડી છે. તેમણે કહ્યું કે મોદીના માતા 100 વર્ષના છે અને રાજકારણ સાથે કોઈ લેવાદેવા પણ નથી ત્યારે આ પ્રકારની ટિપ્પણી યોગ્ય નથી.  

CM Bhupesh Baghel : सीएम भूपेश बघेल का करियर, नेट वर्थ, परिवार, राजनीतिक  करियर और योजनाएं | CM Bhupesh Baghel : CM Bhupesh Baghel's Career , Net  worth , family , political Career and schemes

કોંગ્રેસના નેતાઓથી જ કોંગ્રસને થઈ રહ્યું છે નુકશાન 

એવું માનવામાં આવી રહ્યું છે કોંગ્રેસને તોડવામાં આવી રહી છે. પરંતુ મુખ્ય વાત એ છે કોંગ્રેસને માત્ર કોંગ્રેસ જ ખતમ કરી રહી છે. કોંગ્રેસના એક નેતા આ દિશામાં જાય છે તો બીજા નેતા બીજી દિશામાં જાય છે. જેને કારણે કોંગ્રેસની વિચારધારા અને નેતૃત્વ પર પ્રશ્ન ઉઠી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓને કારણે જ કોંગ્રેસને ભારે નુકસાન વેઠવું પડી શકે છે.        




આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.