ભાષણની અસહમતિ હુમલા સુધી પહોંચી?કેમ Shantikar Vasavaના સમર્થનમાં યુવાનો ભેગા થયા? જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-18 12:11:04

નર્મદા જિલ્લાનું કારણ હંમેશા ચર્ચામાં રહ્યું છે. વસાવા Vs વસાવાનો જંગ ત્યાં અનેક વખત દેખાતો હોય છે. ત્યારે ફરી એખ વખત આ જંગ દેખાયો છે પરંતુ આ વખતે ફરક એ છે કે ચૈતર વસાવા વિરૂદ્ધ મનસુખ વસાવાનો જંગ નથી પરંતુ શાંતિકર વસાવા અને મનુસખ વસાવા વચ્ચેનો જંગ છે! ભરૂચના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામમાં સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નોંદોદના ધારાસભ્ય દર્શના વસાવા, સાંસદ મનસુખ વસાવા, શાંતિકર વસાવા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત હતા.   

આક્રામક સ્પીચને કારણે મનસુખ વસાવા રોષે ભરાયા!

છેલ્લા ઘણા સમયથી ભાજપના સાંસદ મનસુખ વસાવા ચર્ચામાં રહ્યા છે. પોતાના નિવેદનોને કારણે તેમજ ભાષણને કારણે તેમની ચર્ચાઓ થતી રહેતી હોય છે. ત્યારે ગઈકાલે વસાવા સમાજનું વિશાળ સંમેલન હતું. સામાજીક નેતા શાંતિકર વસાવા પહેલા જ આરોપ મુકી ચુક્યા હતા કે એમને બોલતા અટકાવવાની કોશીશ થઈ. એમની આક્રમક સ્પીચના અંતે સાંસદ મનસુખ વસાવા ધીરજ ચુક્યા અને ઉભા થઈને એમને રોકવા માટે ગયા કે મંચસ્થ લોકોનું અપમાન થઈ રહ્યું છે પણ સામે ઉભી રહેલી હજારોની ભીડ શાંતિકર વસાવાના સમર્થનમાં દોડીને આવી, પણ પછી... જ્યારે શાંતિકર વસાવા સંમેલન પછી પાછા નીકળ્યા ત્યારે એમની ગાડી પર કથિત રીતે સાંસદના માણસોએ હુમલો કર્યો.

શાંતિકર વસાવા પર કથિત રીતે થયો હુમલો!

ભરૂચ ખાતે યોજાયેલુ વસાવા સમાજનું સંમેલન રાજનીતિક વિવાદોનું મૂળ બન્યું. ચૈતર વસાવા હાજર નહોતા, ભાજપ કૉંગ્રેસ આપ દરેક પક્ષના નેતાઓ એક મંચ પર હાજર હતા. વાત સમાજની ચાલુ હતી. સામાજીક નેતા શાંતિકર વસાવા આક્રમક રીતે સંબોધી રહ્યા હતા. સ્ટેજ પર જ બબાલ થઈ પણ પછી શાંતિકર વસાવાની ગાડી પર નેત્રંગ પાસે આંતરીને ગાડી પર પત્થર મારવામાં આવ્યા. મંચ પરથી આવું ભાષણ શું કામ આપ્યું એવો પ્રશ્ન હતો. કથિત રીતે ગાડી રોકનાર લોકો ભાજપના કાર્યકર્તા અને સાંસદના માણસો હોવાનું કહેવાયું. શાંતિકર વસાવાએ પોતાને કોઈ ઈજા નથી થઈ અને હુમલો કરનારને ઓળખે છે પણ ફરીયાદ નથી કરવાની રજૂઆત કરી છે. 



હમણાં થોડાક સમય પેહલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં હુથી બળવાખોરો પર યમનમાં બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા . પરંતુ જયારે ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર થકી સ્ટ્રાઇક કરી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ બહાર આવ્યું . શરૂઆતમાં ભારતને તેમણે કહ્યું કે આતંકવાદની સામેની લડાઈમાં અમે ભારત જોડે છીએ. હવે તેઓ પાકિસ્તાન અને ભારત વચ્ચે સમાધાન કરવા નીકળી પડ્યા છે. આમ તેઓ બાપ બનવા નીકળી પડ્યા છે.

હાલના સમયમાં યુદ્ધ ક્ષેત્રે ડ્રોનનું મહત્વ વધી ગયું છે. યુદ્ધ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગની શરૂઆત અમેરિકા દ્વારા કરવામાં આવી . અમેરિકાએ તેનો ઉપયોગ ઇરાક અને અફઘાનિસ્તાનમાં વ્યાપક રીતે કર્યો હતો . પરંતુ હવે આપણે ઓપરેશન સિંદૂર પછી જોયું કે પાકિસ્તાને આપણી પર ડ્રોનથી ઘણા હુમલા કર્યા છે . તો આજે આપણે સમજીશું ડ્રોનનું મહત્વ છે શું અને ભારત પાસે ક્યા ક્યા ડ્રોન્સ છે.

IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?