Rajkotમાં Congressમાં જોડાનાર મહિલા નેતા Diptiben Vaghasiyaએ ભાંગરો વાટ્યો, એવું બોલ્યા કે બધા હસી પડ્યા!


  • Published By :
  • Published Date : 2024-08-12 15:27:24

આઝાદીનાં 75 વર્ષ બાદ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશ સામે જે સૌથી મોટો પડકાર લાગે તે છે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચારની આ વાત એટલે કરી રહ્યાં છીએ કેમ કે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા એક મહિલા નેતા જાહેરમાં એવું બોલી ગયા કે, ભાજપમાં ભ્રષ્ટાચાર કરી કોંગ્રેસમાં આવ્યા 

ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાતી વખતે મહિલા કાર્યકર બોલ્યા...!

રાજ્યમાં બનેલી દરેક દૂર્ઘટનાઓમાં જેમણે પોતાનું વ્હાલસોયું સ્વજન ગુમાવ્યું છે એ પીડિત પરિવારજનોને ન્યાય મળે એટલા માટે કોંગ્રેસે ગુજરાત ન્યાય યાત્રાની શરુઆત કરી છે... આ ન્યાય યાત્રા રાજકોટમાં પહોંચી હતી.. જ્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું... જેમાં જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના નેતાઓ હાજર હતા... આ કાર્યક્રમમાં ભાજપના દિપ્તિબેન વઘાસિયા સહિત 50 મહિલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા...તેમનું ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું અને પછી દિપ્તીબેનને માઈક આપવામાં આવ્યું...  



દિપ્તીબેન એવું બોલ્યા કે કોંગ્રેસના નેતાઓ પણ વિચારતા થઈ ગયા..!

સવાલ થાય કે હવે હૈયે હતું અને હોઠે આવી ગયું? આ પારથી પેલે પાર આવ્યા છે... એટલે ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા છે.. દિપ્તીબેન આવું બોલ્યા એટલે કોંગ્રેસના નેતાઓ પણ વિચાર કરતા થઈ ગયા...  અને ભાજપમાં ભ્રષ્ટાચાર કરીને આવ્યા છે એવું બોલ્યા એટલે વાયરલ થઈ ગયા... દિપ્તીબેનની આ વાત કેટલી સાચી એ તો બેન જ જાણે... ભાંગરો વાટ્યા બાદ દિપ્તીબેન દ્વિધામાં મુકાયા... ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે