હનુમાન જયંતીના પ્રસંગે દીપિકા ચિખલિયાએ હનુમાન ચાલીસાનું ગાન કર્યું, Video વાયરલ થયો


  • Published By :
  • Published Date : 2023-04-06 15:02:20

'રામાયણ'માં સીતા માતાનો યાદગાર કિરદાર નિભાવી ચૂકેલા દીપિકા ચિખલિયા આજે પણ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર આજે પણ લોકો તેમને માતા સીતા કહીને બોલાવે છે. દીપિકાની વિશાળ ફેન ફોલોઈંગ દર્શાવે છે કે તે કેટલા ફેમસ છે. હનુમાન જયંતિના અવસર પર દીપિકા ચિખલિયાનો હનુમાન ચાલીસાનું ગાન કરતો વીડિયો ખુબ જ વાયરલ થયો છે.   


દીપિકા ચિખલિયાએ વીડિયો શેર કર્યો


આજે એટલે કે 6 એપ્રિલે હનુમાન જયંતિના અવસર પર જ્યાં સામાન્ય લોકો અને સેલેબ્સ સોશિયલ મીડિયા પર ચાહકોને શુભેચ્છા પાઠવવા આવી રહ્યા છે, ત્યાં દીપિકા કેવી રીતે પાછળ રહી જાય. દીપિકા ચિખલિયાએ એક વીડિયો શેર કર્યો અને લખ્યું- હનુમાનજીની જન્મજયંતિ પર આપ સૌને શુભકામનાઓ. આ વીડિયોમાં તે હનુમાન ચાલીસા ગાતા જોવા મળી રહ્યા છે.


વિવિધ સેલેબ્સએ પણ પાઠવી શુભેચ્છા 


અરુણ ગોવિલે પણ ટ્વિટ કર્યું – પવન તનય સંકટ હરન મંગલ મૂર્તિ સ્વરૂપ, રામ લખન સીતા સહિત હૃદય બસહુ  સુર ભૂપ. સંકટમોચન ભગવાન શ્રી હનુમાનજીની જન્મજયંતી નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન.


પૂર્વ બિગ બોસ ફેમ શર્લિન ચોપરાએ લખ્યું – ભૂત અને પિચાસ નિકટ નહીં આવે… મહાવીર જબ નામ સુનાવે… નાસે રોગ હરે સબ પીરા. જપત નિરંતર હનુમંત વીરા... હનુમાન જન્મોત્સવની શુભકામનાઓ.


વિંદુ દારા સિંહે લખ્યું-  #hanumanjanmotsavની આપ સૌને શુભેચ્છાઓ! ભગવાન #હનુમાનજી #હનુમાનજયંતિ પર આપણા બધાને આશીર્વાદ આપે. અત્રે ઉલ્લેખનિય છે કે તેમના પિતા દારા સિંહે રામાનંદ સાગરની સિરિયલ રામાયણમાં ભગવાન હનુમાનની ભૂમિકા ભજવી હતી. પિતાના મૃત્યુ પછી, વિંદુએ ટેલિવિઝન સીરીઝ 'જય વીર હનુમાન'માં હનુમાનની ભૂમિકા ભજવી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે