કચ્છના માધાપરના દિલીપ આહીર આત્મહત્યા કેસમાં બે આરોપીની ધરપકડ, યુવકને હનીટ્રેપમાં ફસાવનાર દિવ્યા અને અઝીઝ ભુજ LCBના સકંજામાં


  • Published By :
  • Published Date : 2023-06-07 21:51:43

 કચ્છમાં ખળભળાટ મચાવી દેનારા માધાપરના દિલીપ આહીર આત્મહત્યા કેસમાં ભૂજ LCB પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. દિલીપ આહીરને હનીટ્રેપમાં ફસાવનાર દિવ્યા અને અઝીઝ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. દિલીપ આહીરને હનીટ્રેપમાં ફસાવી આત્મહત્યા કરવા મજબૂર કરવાના કેસમાં પોલીસે મનિષા ગોસ્વામી, ગજુ ગોસ્વામી અને વિકાસ મકવાણા સહિત દુષ્કર્મની ફરિયાદી 3 યુવતી સહિત 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે. આરોપીઓએ દિલીપ આહીરને હનીટ્રેપમાં ફસાવીને 4 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. હાલ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે મનીષા ગોસ્વામી સામે અગાઉ પણ અમદાવાદમાં હનીટ્રેપનો ગુનો નોંધાયો છે. મનીષા ગૌસ્વામી પૂર્વ MLA જયંતિ ભાનુશાળી હત્યા કેસની મુખ્ય આરોપી છે. 


સમગ્ર મામલો શું છે?


ભુજ તાલુકાના માધાપર ગામે રાજા રેસીડેન્સીમાં રહેતો દિલીપ ભનુભાઈ ગાગલ નામનો 32 વર્ષીય આહીર યુવક ગત અઠવાડિયે અમદાવાદથી ભુજ આવેલી એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. ભુજ નજીકના સેડાતા પાસેના હાઈલેન્ડ રિસોર્ટમાં અમદાવાદની યુવતી પર કથિત દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ બાદ યુવતીની તબીબી ચકાસણી તેમજ વિસ્તૃત નિવેદન લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત યુવતી દ્વારા આહીર યુવક સામે દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જો કે, આરોપ મુદ્દે ફરિયાદ નોંધવામાં આવે તે પહેલા જ દિલીપે આત્મહત્યા કરી લેતા તેના પરિવાર તેમજ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.