Sony Sab પર આવતી ધર્મ યોદ્ધ ગરુડને રિપ્લેસ કરશે દિલ દિયા ગલ્લા સિરિયલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-24 15:48:00

સોની સબ પર વધુ એક સિરિયલ શરૂ થવા જઈ રહી છે. આ સિરિયલનું નામ છે દિલ દિયા ગલ્લા-દિલકી બાતેં છે જેમાં પંજાબી પરિવાર બતાવવામાં આવ્યો છે. 12 ડિસેમ્બરના રોજ આ સિરિયલ સાંજે 7:30 વાગ્યે શરૂ થવાની છે. આ સિરિયલ ધર્મ યોદ્ધા ગરુડને રિપ્લેઝ કરવાની છે. આ સિરિયલમાં હર્ષદ અરોરા, કાવેરી પ્રિયમ સહિતના કલાકારો જોવા મળશે. સબ ટીવીએ આ સિરિયલનું ટીઝર પણ લોન્ચ કરી દીધું છે.

અમૃતાના રોલમાં જોવા મળશે કાવેરી પ્રિયમ

આ સિરિયલની વાત કરીએ તો આ સિરિયલમાં પંજાબી પરિવાર દર્શાવવામાં આવી છે. આખો પરિવાર વિદેશમાં રહેતો હોય તેવું બતાવામાં આવ્યું છે. આ સિરિયલમાં કાવેરી પ્રિયમ અમૃતાના રોલમાં જોવા મળી રહી છે. સિરિયલમાં એક પરિવાર બતાવામાં આવ્યો છે પરંતુ આ બે પરિવાર અલગ અલગ દેશોમાં રહે છે. બંને પરિવાર એક બીજા સાથે નથી બોલતા. ત્યારે બંને પરિવાર વચ્ચે સુલેહ કરાવવાની કોશિષ અમૃતા કરવાની છે. પંજાબમાં એવી અનેક ફેમિલી છે જે ભણવા વિદેશ જતા હોય છે. પરંતુ ભણતર પતાયા પછી પાછા નથી આવતા. આ સિરિયલ પણ આવી કહાની પર આધારિત છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?