કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહના મોદી સરકાર પર પ્રહાર, સર્જિકલ સ્ટ્રાઇક અને કલમ 370 મુદ્દે ઉઠાવ્યા સવાલ


  • Published By :
  • Published Date : 2023-01-23 18:51:59

મોદી સરકારે પાકિસ્તાની આતંકવાદીઓ સામે કરેલી સર્જીકલ સ્ટ્રાઈક પર સતત પ્રશ્નો ઉઠતા રહે છે. જમ્મુ અને કાશ્મિરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં ચાલી રહેલા ભારત જોડો આંદોલન દરમિયાન કોંગ્રેસના અગ્રણી નેતા દિગ્વીજય સિંહે ફરી એક વખત સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યો છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. 


સર્જિકલ સ્ટ્રાઇક સરકારનું જુઠાણું


દિગ્વીજય સિંહે મોદી મોદી સરકાર પર જુઠાણા ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. કેન્દ્ર સરકારે અત્યાર સુધી સંસદમાં 2016ની સર્જિકલ સ્ટ્રાઇક અને 2019માં થયેલા પુલવામા હુમલાનો રિપોર્ટ આપ્યો નથી. ભાજપની સરકાર માત્ર જુઠાણાં ફેલાવે છે. આપણા 40 જવાન પુલવામામાં શહીદ થઈ ગયા. CRPFના અધિકારીઓએ વડાપ્રધાન મોદીને અપીલ કરી હતી કે આ જવાનોને એરલિફ્ટ કરવામાં આવે પણ વડાપ્રધાન આ વાતથી સહમત ન થયા. સાવ આવું કેવી રીતે થઈ શકે?


કલમ 370 નાબૂદી મુદ્દે પણ પ્રહાર


કોંગ્રેસી નેતા દિગ્વીજય સિંહે કલમ 370 મુદ્દે પણ સવાલો કર્યા હતા. જમ્મુ અને કાશ્મિરમાં કલમ 370 નાબૂદ થવાથી કોને ફાયદો થયો? સરકાર એવું કહેતી હતી કે આનાથી આતંકવાદ ખતમ થઈ જશે, હિંદુઓનું વર્ચસ્વ રહેશે, પરંતુ જ્યારથી કલમ 370 હટાવી દેવામાં આવી છે, આતંકવાદ વધ્યો છે. રોજે રોજ આતંકવાગી ઘટના બની રહી છે. પહેલાં આ આતંકવાદ ખીણ પૂરતો સીમિત હતો, પરંતુ હવે એ રાજૌરી, ડોડા સુધી પહોંચી ગયો છે.


કાશ્મીર ફાઇલ્સ નફરત ફેલાવનારી ફિલ્મ


દિગ્વીજય સિંહે લોકોને સંબોધતા કહ્યું કે સરકાર જમ્મુ અને કાશ્મિરની સમસ્યાનો ઉકેલ લાવવા માગતી નથી. સરકાર જમ્મુ અને કાશ્મિરનો નિર્ણય કરવા માગતી નથી. તે આ સમસ્યાને સતત યથાવત રાખવા માગે છે, સરકાર ઈચ્છે છે કે કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મો બનતી રહે અને હિંદુ-મુસ્લિમ વચ્ચે નફરત ફેલાતી રહે. તેમણે લોકોને પણ સવાલ કર્યો હતો કે શું તમે ક્યારેય કોઈ વડાપ્રધાનને કોઈ ફિલ્મનો પ્રચાર કરતા જોયા છે? આપણા પીએમ મોદીએ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મનો ખુલ્લેઆમ પ્રચાર કર્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.