શું તમે જાણો છો નોટામાં પડેલા વોટ બદલી શકે છે ચૂંટણીનું પરિણામ? 2017માં નોટાએ કરી હતી ભાજપને સરકાર બનાવવામાં મદદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 14:00:41

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. દરેક પાર્ટી પોતાના ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારતા હોય છે. અનેક વખત એવી સ્થિતિ બનતી હોય છે કોઈ પણ ઉમેદવારને લોકો પસંદ કરતા નથી. તે સમયે મતદારો નોટાનો ઉપયોગ કરતા હોય છે. નોટાને કારણે ઉમેદવારીની જીત હારમાં બદલાઈ જતી હોય છે તો અનેક ઉમેદવારોની હાર જીતમાં પરિવર્તિત થઈ જતી હોય છે. 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 31 બેઠકોના પરિણામ બદલાઈ ગયા હતા. 

नोटा मतों की संख्या जीत के अंतर से अधिक हो तो दोबारा कराया जाए चुनाव: पूर्व  सीईसी

નોટા દ્વારા મતદારો પોતાની ના પસંદગી કરે છે વ્યક્ત  

2022માં યોજાનારી ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. ચૂંટણી જાહેર થાય તે પહેલા દરેક રાજકીય પાર્ટી પ્રચાર કરી રહી છે. ચૂંટણી નજીક આવતા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે પરંતુ ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. ઉમેદવારોની જીતથી પાર્ટીની જીત થતી હોય છે. મતાધિકારનો ઉપયોગ કરી પવિત્ર મત ઉમેદવારોને આપતા હોય છે.  ત્યારે મતદારોને ઉમેદવારો પસંદ ન આવે તો નોટાનો ઉપયોગ કરતા હોય છે.

5 લાખ 51 હજાર મતદારોએ આપ્યો છે નોટાને મત

2017 વિધાનસભાની વાત કરીએ તો 3 કરોડ 15 હજાર મતદારોએ મતદાન કર્યું હતું. જેમાંથી 5 લાખ 51 હજાર મતદારોએ નોટાનું બટન દબાવ્યું હતું. પરિણામ બદલવાની તાકાત નોટા બટનમાં રહેલી હોય છે. નોટાને કારણે 31 બેઠકોનાં પરિણામ બદલાઈ ગયા હતા. જો નોટાને બદલે કોંગ્રેસને વોટ મળ્યા હોત તો કોંગ્રેસ સત્તામાં આવી શકી હોત તેવું નિષ્ણાંતોનું માનવું છે. નોટાએ જે 31 બેઠકોના પરિણામ બદલી નાખ્યા તેની વાત કરીએ તો કોંગ્રેસના 12 ઉમેદવારોની જીત નોટાને કારણે થઈ હતી. જ્યારે ભાજપના 17 ઉમેદવારો નોટાને કારણે જીતી ગયા હતા. કોંગ્રેસ 17 સીટ ગુમાવી હતી તો 12 સીટ કોંગ્રેસે હાંસલ કરી હતી. જો થોડી સીટ વધારે મળી ગઈ હોત તો કોંગ્રેસને 77 સીટને બદલે 82 સીટ મળી હોત. આ 82 સીટમાં 3 અપક્ષ, 1 NCP અને 2 BTPની સીટ મળીને કુલ 88 સીટ થઈ જ્યારે ભાજપે 94 સીટથી સંતોષ માનવો પડ્યો હોત.  

Uttar Pradesh polls: NOTA garners more votes than those polled in favour of  popular parties- The New Indian Express

સુપ્રિમ કોર્ટના આદેશથી EVMમાં કરાયો NOTA બટનનો સમાવેશ   

ચૂંટણીમાં જો મતદારને ઉમેદવાર પસંદ ન આવે તો તે મતદાન કરવાનું ટાળતો હતો. જેને કારણે તે મતાધિકારનો ઉપયોગ કરતો ન હતો. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે NOTA (None of the above)નો ઓપશનનો સમાવેશ EVMમાં કરવામાં આવ્યો છે. જો કોઈ મતદાર નોટાનું બટન દબાવવાથી કોઈ ઉમેદવારને મત નથી મળતો, પરંતુ જે-તે મતવિસ્તારમાં એને ગણવામાં આવે છે. જો નોટાના મત ઉમેદવારને મળેલા મતથી વધારે હોય તો મતદાન ફરી કરવામાં આવે છે. પરંતુ જો ફરી પણ મતદાનમાં નોટાને વધારે વોટ મળતા હોય તો બીજા ક્રમે આવતા ઉમેદવારને વિજેતા ઘોષિત કરવામાં આવે છે. 

આ ઉમેદવારોને મળ્યો નોટાનો સહારો

નોટાને કારણે કોંગ્રેસના આ ઉમેદવારની જીત થઈ હતી. કપરાડાના જિતુ ચૌધરી, ડાંગના મંગળ ગાવિત, દિયોદરના શિવા ભૂરિયા, છોટા ઉદેપુરના મોહનસિંહ રાઠવા, વાંકાનેરના મહમંદજાવીદ, મોડાસાના રાજેન્દ્રસિંહ ઠાકોર, તળાજાના કનુ બારૈયા, ધાનેરાના નાથા પટેલ, સોજીત્રાના પૂનમ પરમાર, જામજોધપુરના ચિરાગ કાલરિયા, જેતપુરના સખરામ રાવઠા, દસાડાના નૌશાદ સોલંકી એ નોટાને કારણે જીત હાંસલ કરી હતી. 

ભાજપના ઉમેદવારનો સહારો બન્યો નોટા - ગોધરાના સી.કે.રાઉલજી, ધોળકાના ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, માણસાના સુરેશકુમાર પટેલ, બોટાદના સૌરભ પટેલ, વિજાપુરના રમણ પટેલ, હિંમતનગરના રાજેન્દ્રસિંહ ચાવડા, પોરબંદરના બાબુ બોખીરિયા, ગારિયાધરના કેશુ નાકરાણી, ઉમરેઠના ગોવિંદ પરમાર, રાજકોટના લાખા સાગઢિયા, ખંભાતના મહેશકુમાર રાવલ, માતરના કેસરીસિંહ સોલંકી, પ્રાંતિજના ગજેન્દ્રસિંહ પરમાર, વાગરાના અરૂણસિંહ રાણા, ફતેપુરાના રમેશ કટારા, ડભોઈના શૈલેષ મહેતા, વીસનગરના ઋષિકેશ પટેલએ જીત હાંસલ કરી હતી. તેમજ લુણાવાડાના રતનસિંહ રાઠોડ અને મોરવાડ હડફથી ભૂપેન્દ્રસિંહ ખાંટને નોટાએ જીતાડ્યા.                    



"પીડિતાના ગુપ્તભાગોને પકડવા અને તેના પાયજામાંની દોરી છોડવાને બળાત્કાર કે બળાત્કારનો પ્રયાસ ગણી શકાય નહિ." :ન્યાયાધીશ રામ મનોહર નારાયણ મિશ્રા !

રંગમંચ એ મનોરંજનની સાથે સમાજ જીવનની સંવેદનાઓને નાટકના માધ્યમથી લોકમાનસ સુધી લઈ જાય છે.દર વર્ષે 27 માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવવામાં આવે છે.

હાલમાં જ અમેરિકાએ યમનના હુતી બળવાખોરો પર સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી . પરંતુ આ પછી યુએસ ઇન્ટેલિજન્સમાં ખુબ મોટી માહિતી લીક થઈ . જોકે યુએસને આ માહિતી લીકથી કોઈ નુકશાન નથી થયું કેમ કે , તે પેહલા હુતી બળવાખોરો પર સર્જીકલ સ્ટ્રાઇક થઈ ચુકી હતી . આ સમગ્ર ઘટના સિગ્નલ નામની મેસેજિંગ એપ પર બની હતી અને પછી એટલાન્ટિક નામના મેગેઝીનમાં તે બહાર આવી છે .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતની ચૂંટણી વ્યવસ્થાની પ્રશંસા કરી છે . તેમણે હાલમાં અમેરિકામાં ચૂંટણી સુધારા કરતા એક્ઝીક્યુટીવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે . આ સુધારા અમેરિકામાં આવનારી ૨૦૨૬ની મીડટર્મ ચૂંટણીઓ અને ૨૦૨૮ની રાષ્ટ્રપતિની ચૂંટણીઓ માટે મહત્વપૂર્ણ હશે .