શું તમને પણ આ વખતે ફટાકડા મોંઘા લાગ્યા ?, તો અમે જાણી લાવ્યા કે ફટાકડા કેમ મોંઘા થયા ????


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 20:16:10


દિવાળી એટલે ભારતનો સૌથી મોટો તહેવાર. તહેવારોની મોસમને કારણે મોટી સંખ્યામાં એકત્ર થશે, લોકો તેમના વતન જશે અને ફટાકડા વિના દિવાળી અધૂરી છે. પરંતુ આ વર્ષે ફટાકડાને મોંઘવારીનું ગ્રહણ લાગ્યું છે. મંદીના માહોલને લીધે દિવાળીની ખરીદીની અસર લગભગ તમામ બજારોમાં ઓછી વધુ દેખાઇ રહી છે. ગુજરાતના દરેક શહેરોમાં ફટાકડાના ભાવ ઉંચા ગયા છે. ફટાકડાના ભાવમાં લગભગ 50 થી 70 ટકા જેટલો વધારો નોંધાયો છે. ફટાકડામાં સામાન્ય રીતે દર વર્ષે પાંચ થી 10 ટકાનો ભાવ વધારો થતો હોય છે. જ્યારે આ વર્ષે ફટાકડાના ભાવમાં ગયા વર્ષ કરતા 50 થી 70 ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.


ફટકડાનો ભાવ વધવાના કારણો !!!!!


 અમે જ્યારે માર્કેટમાં ગયા તો અમે સતત એવું સાંભળી રહ્યા હતા કે ફટકડાનો ભાવ આસમાને છે . તો અમે અંબિકા આશિષ  ફટાકડાના ઓનર આશિષ ભાઈને મળ્યા અને જાણવાના પ્રયત્ન કર્યા કે આ વખતે ફટકડાના ભાવ કેમ વધ્યા છે અને તેના કારણો શું છે ?

તો આશિષ ભાઈ એ કહ્યું "આ વર્ષ ફટાકડાના ભાવ માં 50 થી 70 ટકા વધારો થયો છે અને તેની પાછળનું કારણ એ છે કે કાચા માલના ભાવમાં વધારો થયો છે જેના કારણએ આ વર્ષ પ્રોડક્શન ઓછું થયું છે " અને આજ મુખ્ય કારણ છે ફાટકડાના ભાવમાં વધારો !!!!



આ વર્ષ કયા ફટાકડાની ધૂમ ???


આ વર્ષ સૌથી વધાર બાળકોના ફટાકડાનું ચલણ છે . અને એના સિવાય આસમાની આતિશ બાજી સૌથી વધુ વેચાય છે લોકોમાં આ વર્ષ દિવાળીને લઈને ખૂબ  ખુશ છે કેમ છે છેલ્લા બે વર્ષ કોરોનાને કારણે ધુમધામથી દિવાળી મનાવી શક્યા ન હતા. 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.