શું તમને પણ આ વખતે ફટાકડા મોંઘા લાગ્યા ?, તો અમે જાણી લાવ્યા કે ફટાકડા કેમ મોંઘા થયા ????


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 20:16:10


દિવાળી એટલે ભારતનો સૌથી મોટો તહેવાર. તહેવારોની મોસમને કારણે મોટી સંખ્યામાં એકત્ર થશે, લોકો તેમના વતન જશે અને ફટાકડા વિના દિવાળી અધૂરી છે. પરંતુ આ વર્ષે ફટાકડાને મોંઘવારીનું ગ્રહણ લાગ્યું છે. મંદીના માહોલને લીધે દિવાળીની ખરીદીની અસર લગભગ તમામ બજારોમાં ઓછી વધુ દેખાઇ રહી છે. ગુજરાતના દરેક શહેરોમાં ફટાકડાના ભાવ ઉંચા ગયા છે. ફટાકડાના ભાવમાં લગભગ 50 થી 70 ટકા જેટલો વધારો નોંધાયો છે. ફટાકડામાં સામાન્ય રીતે દર વર્ષે પાંચ થી 10 ટકાનો ભાવ વધારો થતો હોય છે. જ્યારે આ વર્ષે ફટાકડાના ભાવમાં ગયા વર્ષ કરતા 50 થી 70 ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.


ફટકડાનો ભાવ વધવાના કારણો !!!!!


 અમે જ્યારે માર્કેટમાં ગયા તો અમે સતત એવું સાંભળી રહ્યા હતા કે ફટકડાનો ભાવ આસમાને છે . તો અમે અંબિકા આશિષ  ફટાકડાના ઓનર આશિષ ભાઈને મળ્યા અને જાણવાના પ્રયત્ન કર્યા કે આ વખતે ફટકડાના ભાવ કેમ વધ્યા છે અને તેના કારણો શું છે ?

તો આશિષ ભાઈ એ કહ્યું "આ વર્ષ ફટાકડાના ભાવ માં 50 થી 70 ટકા વધારો થયો છે અને તેની પાછળનું કારણ એ છે કે કાચા માલના ભાવમાં વધારો થયો છે જેના કારણએ આ વર્ષ પ્રોડક્શન ઓછું થયું છે " અને આજ મુખ્ય કારણ છે ફાટકડાના ભાવમાં વધારો !!!!



આ વર્ષ કયા ફટાકડાની ધૂમ ???


આ વર્ષ સૌથી વધાર બાળકોના ફટાકડાનું ચલણ છે . અને એના સિવાય આસમાની આતિશ બાજી સૌથી વધુ વેચાય છે લોકોમાં આ વર્ષ દિવાળીને લઈને ખૂબ  ખુશ છે કેમ છે છેલ્લા બે વર્ષ કોરોનાને કારણે ધુમધામથી દિવાળી મનાવી શક્યા ન હતા. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે