ધીરેન્દ્ર શાસ્ત્રી આ પાર્ટી સાથે જોડાવા માગે છે? સુરતમાં દિવ્ય દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપ્યો જવાબ!


  • Published By :
  • Published Date : 2023-05-26 17:19:03

બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતના અનેક શહેરોમાં તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. પોતાના નિવેદનને કારણે ધીરેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે સુરતમાં દિવ્ય દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે મારૂં એક જ લક્ષ્ય સનાતન ધર્મ છે, સૌને કર્મથી હિન્દુ બનાવવા માગું છું. હું કોઈ પણ રાજકીય પાર્ટીનો નથી, બધી રાજકીય પાર્ટીના નેતાઓ મારા શિષ્ય છે. મને એક જ પાર્ટીથી જોડવામાં આવે અને એ છે બજરંગબલી. 


બધી રાજકીય પાર્ટીના નેતા મારા શિષ્ય છે - ધીરેન્દ્ર શાસ્ત્રી

ગુજરાતના વિવિધ શહેરોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. આજે સુરત ખાતે તેમનો દિવ્ય દરબાર થવાનો છે ત્યારે દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે મારૂં એક જ લક્ષ્ય સનાતન ધર્મ છે, સૌને કર્મથી હિન્દુ બનાવવા માગું છું. હું કોઈ પણ રાજકીય પાર્ટીનો નથી, બધી રાજકીય પાર્ટીના નેતાઓ મારા શિષ્ય છે. મને એક જ પાર્ટીથી જોડવામાં આવે અને એ છે બજરંગબલી. 


સિક્યોરિટી અંગે બાબાએ આપ્યો જવાબ!   

મીડિયા સાથેની વાતચીત દરમિયાન ધર્મ પરિવર્તન મુદ્દે પણ તેમણે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આગામી દિવસોમાં હું આ વિષયને જાણીને આદિવાસી વિસ્તારમાં કથા કરવાનું ચોક્કસપણે આયોજન કરીશ. હું જંગલોમાં આદિવાસી વિસ્તારોમાં કથા કરી રહ્યો છું. આપણે માત્ર મોબાઈલ અને ટીવી સુધી સિમિત છીએ, આપણે સનાતન સંસ્કૃતિનો પ્રચાર હવે દિલો સુધી કરવો પડશે. ષડયંત્રો થઈ રહ્યા છે. સનાતન વિરોધી તાકતો પણ લાગે છે, એટલા માટે મને સિક્યોરિટી આપવામાં આવી રહી છે.    


અમદાવાદ અને રાજકોટમાં યોજાવાનો છે દિવ્ય દરબાર!     

મહત્વનું છે સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગતમાં ભવ્ય રંગોળી કરવામાં આવી હતી. દરબારમાં ભાગ લેવા દૂર દૂરથી લોકો આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને ભેટ આપવા ખાસ ગદા તૈયાર કરવામાં આવી છે. સાળંગપૂરથી સુરતમાં હનુમાનજીની ગદા આવી છે. સુરત બાદ અમદાવાદ તેમજ રાજકોટમાં પણ તેમનો દિવ્ય દરબાર લાગવાનો છે. તેમના દરબારને લઈ ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે અને લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે તેવું અનુમાન હાલ લગાવામાં આવી રહ્યું છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.