અમદાવાદમાં નહીં યોજાય ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર! દરબાર ન યોજાવાનું આ છે કારણ?


  • Published By :
  • Published Date : 2023-05-29 12:40:24

ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. રાજ્યના અનેક શહેરોમાં બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે. સુરત ખાતે દિવ્ય દરબાર યોજાયો હતો જ્યારે આજે અમદાવાદ ખાતે તેમનો દરબાર યોજાવાનો હતો. પરંતુ ગઈકાલે પડેલા વરસાદને કારણે બાબાનો દિવ્ય દરબાર રદ્દ થયો છે. ઓગણજ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો હતો પરંતુ ગઈકાલે પડેલા વરસાદને કારણે આ કાર્યક્રમ રદ્ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આજે અને આવતી કાલે અમદાવાદમાં તેમનો દિવ્ય દરબાર યોજાવાના હતા.  


29 અને 30મેના રોજ અમદાવાદમાં યોજાવાનો હતો દરબાર! 

બાગેશ્વરધામના શાસ્ત્રી ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના નિવેદનને લઈ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. બાબા હાલ ગુજરાતના પ્રવાસે છે. અનેક શહેરોમાં તેમના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ પહેલા સુરત ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાયો હતો. ત્યારે આજે અને આવતી કાલે અમદાવાદમાં તેમનો દિવ્ય દરબાર થવાનો હતો પરંતુ વરસાદને કારણે આ કાર્યક્રમ રદ્દ થયો છે. ત્યારે મહત્વનું છે કે અમદાવાદ બાદ રાજકોટમાં પણ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલી અને બીજી જૂનના રોજ દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.  


દિવ્ય દરબારની જગ્યા પણ બદલવામાં આવી! 

વરસાદને ધ્યાનમાં રાખી દરબારની જગ્યા બદલવામાં આવી હતી. પહેલા ચાણક્યપુરી ખાતે દરબાર યોજાવાનો હતો પરંતુ વરસાદને કારણે જગ્યા બદલવામાં આવી હતી. ઓગણજ ખાતે દરબાર યોજાવાનો હતો પરંતુ ત્યાં પણ હવે દરબાર નહીં યોજાય.વરસાદને કારણે દિવ્ય દરબાર રદ્દ થયો છે. જે જગ્યાએ દરબાર ભરાવાનો હતો તે જગ્યા પર પાણીના ખાબોચિયાં ભરાઈ ગયા હતા. ગઈકાલે ધીરેન્દ્ર શાસ્ત્રી શક્તિપીઠ અંબાજીના દર્શને ગયા હતા. ત્યારે બાબાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!