ગુજરાતમાં આ જગ્યાઓ પર યોજાશે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, સુરતમાં બાબાને ભેટ આપવા તૈયાર કરાઈ ગદા! જાણો શું છે સમગ્ર કાર્યક્રમ?


  • Published By :
  • Published Date : 2023-05-23 16:04:48

ગુજરાતના અનેક શહેરોમાં બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. દિવ્ય દરબારને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદ, રાજકોટ તેમજ સુરત ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં દિવ્ય દરબાર 26 અને 27 મેના આયોજીત કરવામાં આવ્યો છે. 25 મેના રોજ અમદાવાદ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રી શિવ કથામાં ભાગ લેવા આવવાના છે. જે બાદ તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. અમદાવાદમાં 29 અને 30 મેના રોજ ચાણક્યપુરી ખાતે દિવ્ય દરબાર યોજાવાનો છે. રાજકોટમાં પણ તેમના દિવ્ય દરબારને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટ ખાતે પહેલી જૂન અને બે જૂનના રોજ દિવ્ય દરબાર યોજાવાનો છે.

Dhirendra Shastri : ભાજપના નેતાઓ સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર  રોડ શોના આયોજનમાં લાગ્યા, bageshwar dham peethadhish dhirendra shastri  visit surat divya darbar road show

ગુજરાતમાં લાગશે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર!

દેશમાં છેલ્લા ઘણા સમયથી બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. અનેક વખત બાબા વિવાદોમાં પણ આવ્યા છે. દેશના વિવિધ રાજ્યોમાં તેમનો દિવ્ય દરબાર આયોજીત થઈ ચૂક્યો છે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ગુજરાતમાં યોજાવાનો છે. ગુજરાતના અનેક શહેરોમાં બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે. અમદાવાદ, સુરત અને રાજકોટ ખાતે દિવ્ય દરબાર થવાનો છે. 


ધીરેન્દ્ર શાસ્ત્રીને આપવા ગદા કરાઈ તૈયાર!

સુરત ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર 26 અને 27મેના રોજ યોજાવાનો છે જેને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.  ધીરેન્દ્ર શાસ્ત્રીને ચાંદીની ગદા ભેટમાં આપવામાં આવશે. સુરતના લોકો તરફથી તેમને આ ભેટ આપવામાં આવવાની છે. સુરતના ઉદ્યોગપતિ દ્વારા આ ગદા તૈયાર કરાવામાં આવી છે. સાંકેત ગ્રુપના માલિક દ્વારા આ ગદા તૈયાર કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો દરબારમાં ભાગ લેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 


(બાબાને આપવા માટે તૈયાર કરાઈ ગદા)

અમદાવાદમાં પણ લાગશે બાબાનો દિવ્ય દરબાર!

ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર સુરત બાદ અમદાવાદમાં યોજાવાનો છે. દરબારને લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદમાં 29 મે અને 30 મેના રોજ ચાણક્યપુરી ખાતે દિવ્ય દરબાર યોજાવાનો છે. રાઘવ ફાર્મ ખાતે  દરબાર ભરાવાનો છે. સાંજના પાંચ વાગ્યાથી દિવ્ય દરબાર ભરાશે. અમદાવાદ બાદ રાજકોટમાં પણ બાબાનો દિવ્ય દરબાર ભરાવવાનો છે. પહેલી અને બીજી જૂનના રોજ રાજકોટ ખાતે બાબા પધરામણી કરવાના છે. બાબાના દરબારને લઈ રાજકોટ ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. રાજકોટ ખાતે થવાના કાર્યક્રમ દરમિયાન સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. એક અનુમાન અનુસાર બાબાના દિવ્ય દરબારમાં એક લાખથી વધુ લોકો ઉમટી શકે છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. મહત્વનું છે કે ગુજરાતના પ્રવાસે ધીરેન્દ્ર શાસ્ત્રી આવે તે પહેલા જ તેમને પડકાર ફેંકવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતના પ્રવાસે આવી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીને કેવો પ્રતિસાદ મળે છે તે જોવું રહ્યું.      



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!