ધીરેન્દ્ર શાસ્ત્રીનું વિવાદિત નિવેદન, પરિણીત મહિલા માટે કહ્યા એવા શબ્દો કે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-17 11:32:45

બાગેશ્વરધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હંમેશા પોતાના નિવેદનોને લઈ ચર્ચામાં રહેતા હોય છે. થોડા સમય પહેલા જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે ગુજરાતના પાગલો કેમ છો તેવું કહ્યું હતું. ત્યારે ફરી એક વખત ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના નિવદેનને કારણે ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમણે પરણિત મહિલાઓ માટે નિવેદન આપ્યું છે.     

અનેક વખત ધીરેન્દ્ર શાસ્ત્રી આપતા હોય છે વિવાદીત નિવેદન 

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે 'જો કોઈ મહિલા પરિણીત હોય તો તેની બે ઓળખ હોય છે - માંગનું સિંદૂર, ગળામાં મંગળસૂત્ર. ખેર, કહી દઉં કે માંગનું સિંદૂર ભરાયું નથી, ગળામાં મંગળસૂત્ર ન હોય તો શું વિચારીએ ભાઈ, આ પ્લોટ હજુ ખાલી છે.' પોતાની કથા દરમિયાન અનેક વખત વિવાદિત નિવેદન તેઓ આપતા હોય છે. તાજેતરમાં તેમની કથા ગ્રેટર નોઈડામાં ચાલી રહી છે. ભક્તોને જ્યારે તે ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે બાબાએ હળવા અંદાજમાં હસતાં હસતાં પરિણીત મહિલાઓ માટે આવું નિવેદન આપ્યું. 


કથામાં બેઠેલી મહિલાઓ પણ મંદ મંદ હસી રહી હતી!

આપણી સૌથી ગંભીર ખામી એ છે કે જ્યાં સુધી પાણી માથાને ન વટાવી જાય ત્યાં સુધી આપણે કોઈ પ્રતિક્રિયા આપતા નથી. આ વખતે પણ એવું જ કંઈ થયું. સૌથી ગંભીર બાબત તો એ હતી કે જ્યારે બાબાએ આ નિવેદન આપ્યું ત્યારે ત્યાં બેઠેલી મહિલાઓ મંદ મંદ હસી રહી હતી. બાબાના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આ નિવેદનનો સખ્ખત વિરોધ થઈ રહ્યો છે. પણ આ કોઈ પહેલું એવું નિવેદન નથી જેમાં બાબાએ કોઈને ઉતારી પડ્યા હોય કે મજાક કર્યો હોય આપણને યાદ છે કે બાબા જ્યારે ગુજરાત આવ્યા ત્યારે સૌથી પહેલા એવું સંબોધન કર્યું કે કેમ છો ગુજરાતના પાગલો અને લોકોએ એ વાતને પણ હળવાશથી લીધી હતી 



સપા નેતાએ કહ્યું - બાબા છે કે ટપોરી? 

એટલું જ નહીં સપા નેતા સ્વામી પ્રસાદ મોર્યએ તો પ્રતિક્રિયા આપતી વખતે આખો લેખ લખી દીધો. સ્વામી પ્રસાદે લખ્યું કે આ બાગેશ્વરના બાબા છે કે,ટપોરી? જે સ્ત્રી પ્રત્યે આટલી નીચી અને ગંદી ભાષા વાપરે છે અને કહે છે કે "જે સ્ત્રીની માંગણીમાં સિંદૂર અને મંગળસૂત્ર છે તેના ગળામાં લટકાવેલું છે, તો આપણે સમજીએ છીએ કે તેની રજિસ્ટ્રી થઈ ગઈ છે. જે સ્ત્રીની માંગમાં સિંદૂર નથી, ગળામાં મંગળસૂત્ર પહેર્યું નથી, તો લાગે છે કે આ પ્લોટ ખાલી છે. બાબાનું આ સસ્તું નિવેદન દેશની તમામ મહિલાઓનું ઘોર અપમાન છે, હું તેની નિંદા કરું છું અને આ નિવેદન પર સંતો, સાધુઓ, પૂજારીઓનું મૌન વધુ નિંદનીય છે.જેમની જીભ પર તાળાં હજુ પણ બંધ છે તેઓ સ્ત્રીઓના સન્માનમાં બોલવાની હિંમત નથી દાખવી શકતા.શું આ ઋષિ-મુનિઓનું ચરિત્ર છે?

અનેક લોકોની પ્રતિક્રિયા આવી સામે 

આ વીડિયો વાયરલ થયા બાદ લોકોની  અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક યુઝર્સે આ વિડિયો શેર કરતાં લખ્યું કે કેવો વિચારવાળા બાબા! "સિંદૂર અને મંગળસૂત્ર વિનાની સ્ત્રી વિશે આપણે શું વિચારીએ છીએ કે 'પ્લોટ' હજી ખાલી છે"આવા બાબાઓના પ્રાયોજકો પણ મહિલાઓ પ્રત્યે આ વિચાર ધરાવે છે? અનેક મહિલાઓએ બાબાના આ નિવેદન બાદ રોષ વ્યક્ત કર્યો છે. સુજાતા નામની મહિલાએ લખ્યું છે કે અમારે એ પણ શોધવાનું છે કે કયા પ્લોટ ખાલી છે. તમે પણ મંગળસૂત્ર પહેરો અને તમારી માંગ ભરો. અરે, ચોર બાબા બની ગયો. આપણે સ્ત્રીઓ જે સમાજમાં રહીએ છીએ તેના માટે શરમ આવે છે. ખરેખર કમનસીબ.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!