આદિપુરૂષ ફિલ્મને લઈ ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપી પ્રતિક્રિયા, ફિલ્મના ડાયલોગ તેમજ હનુમાનજી વિશે કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-06-28 16:30:47

થોડા દિવસોથી ફિલ્મ આદિપુરૂષને લઈ છેડાયેલો વિવાદ હજી પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. એક બાદ એક વિવાદો ફિલ્મ સાથે જોડાઈ રહ્યા છે. પહેલા વીએફએક્સને લઈ વિવાદ છેડાયો હતો, તે બાદ ક્રિતી સેનનને લઈ વિવાદ છેડાયો હતો. આ તો વાત થઈ ફિલ્મ રિલીઝ થઈ તે પહેલાની વાત. રિલીઝ બાદ વિવાદો વધતા ગયા. હનુમાનજીના ડાયલોગને કારણે દર્શકોમાં નારાજગી જોવા મળી હતી. ફિલ્મને લઈ થોડા સમય પહેલા મોરારી બાપુએ પ્રતિક્રિયા આપી હતી ત્યારે હવે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

 


હનુમાનજીના ડાયલોગ વિશે કહી આ વાત

ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફિલ્મ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે થોડા દિવસ પહેલા એક એવી ફિલ્મ આવી, જેમાં હનુમાનજીને એવા બતાવ્યા છે કે વીર બજરંગી જ બચાવે. મેં તો ફિલ્મ પૂરી જોઈ નથી, હું તેમાં પડતો નથી, પરંતુ કોઈએ મને બતાવી. મને જોઈને ખૂબ હસવું આવ્યું. ડોયલોગ અંગે પણ તેમણે કહ્યું હતું કે હનુમાનજી ક્યાક હશે તો જેમણે ડાયલોગ લખ્યા છે તેઓ ફસાઈ જાય તો જય જય સીતારામ. તેમણે લખ્યું કે હનુમાનજી બોલે છે તેલ તેરે બાપ કા.... હનુમાનજી બોલવામાં થોડા કટૂ હતા, પરંતુ આટલા બધા પણ નહી. તે ખૂબ જ્ઞાની, બુદ્ધિશાળી છે, સૌમ્ય છે. તર્ક દેવામાં ખૂબ સારા છે, પણ આવા તર્ક પ્રસ્તુત ન કરો કે તર્ક જ ખરાબ થઈ જાય.     


વાલ્મિકી અને તુલસીદાસની રામાયણનો આધાર લો - મોરારી બાપુ 

તે પહેલા આદિપૂરુષ ફિલ્મ પર પ્રખ્યાત કથાકાર મોરારી બાપુએ પણ પ્રતિક્રિયા આપી હતી. મોરારી બાપુએ કહ્યું કે "આ વ્યાસપીઠપરથી વિનમ્રતાથી એક વિનય કરવા ઇચ્છુ છું કે, આજકાલ એવા નાટક, ચલચિત્ર બની રહ્યાં છે. તેમાં રામાયણના પાત્રો પાસેથી કંઇક પણ બોલાવવામાં આવે છે. મેં આ ફિલ્મ જોઇ નથી પરંતુ જ્યારે હું વ્યાસપીઠ પર બેઠો છું તો એ વિનય કરું છું કે, જ્યારે કોઇ રામાયણ વિશે કે પાત્ર વિશે ચલચિત્ર કે નાટક બનાવવા જઇ રહ્યાં છો. ત્યારે વાલ્મિકી અને તુલસીદાસની રામાયણનો આધાર લો. વિનમ્રતાથી કહીશ કે કમ સે કમ મોરારીબાપુને પૂછો. આપને કદાચ આ અંહકાર લાગી શકે છે પરંતુ મેં તેના પર 65 વર્ષથી કામ કર્યું છે અને હું આદર આપુ છું દિવંગત રામાનંદ સાગરને જ્યારે રામાયણ સિરિયલ બનાવી હતી ત્યારે બે વ્યક્તિના મત લીધા હતા. એક તો રામકિર્કરજી મહારાજ અને તલગાજરડાના મોરારી બાપુનો. મને છોડી દો, પરંતુ ત્રિભુવનિય ગ્રંથ આપ્યો છે તેવા તુલસીદાસના શાસ્ત્રની મદદ લો. વાલ્મિકિજીની રામાયણનો આધાર લો. તેમણે કહ્યું કે, રામાયણ ઉપાસના અને સાધનાનો ગ્રંથ છે. આ ચલચિત્રનો ગ્રંથ નથી પરંતુ અચલ ચરિત્રનો ગ્રંથ છે."       




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે