બાબા બાગેશ્વરે મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવ્યું, અંબાજીમાં બાબાને આવકારવા ઉમટ્યા સેંકડો લોકો


  • Published By :
  • Published Date : 2023-05-28 15:34:56

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે બાબાનો ગુજરાતમાં ચોથો દિવસ છે, બાબા બાગેશ્વર તરીકે પ્રખ્યાત ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવ્યા બાદ મા અંબાનાં દર્શન કરવા માટે અંબાજી પહોંચ્યા હતા. બાબા બાગેશ્વરે આજે જગતજનની મા અંબાનાં અંબાનાં દર્શન કરી બપોરની આરતીમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગર્ભગૃહમાં માતાજીની પૂજા-અર્ચના કરી હતી. બાબા આજે સવારે હેલિકૉપ્ટર મારફતે અંબાજી પહોંચ્યા હતા.


બાબા બાગેશ્વરને આવકારવા ઉમટ્યા લોકો


બાબા બાગેશ્વરના આગમનને લઈને અંબાજી મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. અંબાજી મંદિરના પરિસરમાં ભક્તોએ 'જય શ્રી રામ'નારા લગાવ્યા હતા. માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવ્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી ઇસ્કોન અંબે વેલી ખાતે પહોંચ્યા છે. અંબે વેલીમાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં વિશ્રામ કર્યા બાદ તેઓ અમદાવાદ માટે રવાના થશે. સાંજે 5 વાગ્યે ધીરેન્દ્ર શાસ્ત્રી ઝુંડાલના કાર્યક્રમમાં જશે. ધીરેન્દ્ર શાસ્ત્રી કોટક હાઉસમાં રાત્રી રોકાણ કરશે.


અંબાજીમાં જડબેસલાક સુરક્ષા


મા અંબાનાં દર્શન માટે અંબાજી પહોંચેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા માટે જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી હતી. બાબા બાગેશ્વર હેલિકોપ્ટર મારફતે આજે અંબાજી પહોંચ્યા હતાં. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અંબાજી દર્શનાર્થે આવવાના હોવાથી અંબાજી મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા તૈયારીઓ કરાઈ હતી. અંબાજી મંદિરના VIP રોડને અમુક સમય માટે બંધ કરી દેવાયો હતો. તો સમગ્ર અંબાજીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો પોલીસ દ્વારા બેરિકેડ મૂકીને સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!