બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર અંગે ચાલી રહેલી અટકળોનો આવ્યો અંત, અમદાવાદના આ વિસ્તારમાં યોજાશે કાર્યક્રમ


  • Published By :
  • Published Date : 2023-05-29 21:39:55

બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈ ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર હવે અમદાવાદના વટવામાં યોજાશે. અત્રે ઉલ્લેખનિય છે કે ચાણક્યપુરી વિસ્તારમાં 29 અને 30 મે ના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું લોક દરબાર આયોજન કરવામાં આવ્યું હતું. જો કે ત્યાં સ્થળ ખૂબ જ નાનું સ્થળ હોવાથી પોલીસ મંજૂરી મળી ન હતી. તેથી કાર્યક્રમનું સ્થળને બદલીને ઓગણજમાં દિવ્ય દરબારનું સ્થળ નક્કી કરાયું હતું. જો કે અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસતા આગણજ ખાતે દિવ્ય દરબારને રદ કરવામાં આવ્યો હતો. બાબા બાગેશ્વરના દિવ્ય દરબારના આયોજકોએ હવે દિવ્ય દરબારના સ્થળ તરીકે વટવા સ્થિત શ્રીરામ મેદાન પસંદ કર્યું છે.


શ્રીરામ મેદાન ખાતે યોજાશે દિવ્ય દરબાર


અમદાવાદના વટવામાં આવેલા શ્રીરામ મેદાન ખાતે થોડા દિવસો પહેલા દેવકીનંદન મહારાજ દ્વારા શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કથાના અંતિમ દિવસે બાબા બાગેશ્વરે કાર્યક્રમમાં હાજર રહીને આશીર્વચન આપ્યા હતા. ત્યારે તે જ કાર્યક્રમ સ્થળ ઉપર ફરી એકવાર બાબાના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 30 મીના રોજ સાંજે 5 થી 7:00 વાગ્યાના સમયગાળા દરમિયાન બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર તે જ સ્થળે યોજાનાર છે.


ભક્તોમાં ખુશીની લહેર વ્યાપી


બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજક વટવાનું શિવકૃપા મિત્ર મંડળ છે. આ તમામ જાહેરાત કરવામાં આવી છે મહત્વનું છે કે અગાઉ શિવ મહાપુરાણનું આયોજન કરનાર શિવ કૃપા મિત્ર મંડળના કમલાકર રાજપૂતે  જણાવ્યું હતું કે વટવામાં બાબાના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે, સાંજે 5 થી 7 દિવ્ય દરબાર યોજાશે. જેના માટે તૈયારીઓ શરૂ કરાઈ છે. આ અંગે આયોજક હિંમતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે 30મી એ સાંજે 5 થી 7 ના સમયગાળામાં બાબાના દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. વટવામાં દિવ્ય દરબાર યોજાશે અને વટવા ખાતે શ્રીરામ મેદાનમાં બાબા બાગેશ્વરનો દરબાર ભરાશે એવા સમાચાર વહેતા થતાં ભક્તોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!