Dharma : આજે છે નારદ જયંતી, નારાયણ નારાયણ કરી કરે છે ભક્તિનો પ્રચાર, અનેક ભક્તોને આગળ વધાર્યાં, જાણો તેમના મહિમા વિશે..


  • Published By :
  • Published Date : 2024-05-24 13:22:07

આપણા ધર્મમાં નારદ મુનિને દેવઋષિનું સ્થાન આપવામાં આવ્યું છે.. દેવર્ષી નારદ એક હાથમાં કરતાલ લઈને બીજા હાથમાં વીણા લઈને સતત નારાયણ ભગવાનનું સ્મરણ કરે છે.. નારાયણ નારાયણ નામનો તે જપ કરતા રહે છે.. નારદ મુનિને સતયુગના પત્રકાર કહીએ તો પણ અતિશયોક્તિ નથી કારણ કે તેમણે અનેક વખત સંદેશવાહકનું કામ કર્યું છે.. વૈશાખ વદ એકમની તિથીએ નારદ જયંતી ઉજવવામાં આવે છે.. દેવર્ષી નારદને બ્રહ્માજીના માનસ પુત્ર માનવામાં આવે છે.. 

Narad Jayanti 2023: આજે નારદ જયંતી, જાણો કેવી રીતે થયો નારદ મુનિનો જન્મ

અનેક ધાર્મિક ગ્રંથો આપણને મળ્યા જેમાં... 

નારદજી ગમે ત્યાં , ગમે તે લોકમાં પ્રવાસ કરી શકતા હતા... નારદજીને ના માત્ર દેવતાઓ સન્માન આપતા પરંતુ તેમનું સન્માન દૈત્યો પણ કરતા હતા.. જ્યારે કોઈ મુંજવણભરી પરિસ્થિતિ હોય ત્યારે દૈત્યો તેમની પાસે સલાહ લેવા જતા હતા..આપણે જે લીલાઓ જોઈએ ભગવાનની તેની પાછળ નારદમૂનિનો મોટો ફાળો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. આપણને જે ધાર્મિક ગ્રંથો મળ્યા છે તેમાં પણ નારદમૂનિની મહત્વની ભૂમિકા છે. અનેક શાસ્ત્રો આપણને તેમના માધ્યમથી મળ્યા છે.. માતા પાર્વતીને તેમણે જણાવ્યું હતું કે તેમનો પતિ કેવો હશે અને કેવી રીતે ભગવાન શિવની પૂજા કરવી.. 


આકાશવાણી વિશે નારદજીએ સમજાવ્યું હતું..!

કંસ જ્યારે દેવકીની વિદાય કરી રહ્યો હતો ત્યારે આકાશવાણી થઈ કે દેવકીનું આઠમું સંતાન તેમનો કાળ બનશે... દેવકીજી અને વસુદેવજીને કંસે કેદ કર્યા.. પહેલા સંતાનનો જ્યારે જન્મ થયો ત્યારે વસુદેવજી સંતાનને ત્યાં લઈ ગયા. કંસને બાળક પર દયા આવી. એવું વિચાર્યું કે આઠમું સંતાન તેનું કાળ છેને.. દેવતાઓને ચિંતા થઈ કે જો કંસના પાપનો ઘડો નહીં ભરાય તો ભગવાન ધરતી પર અવતાર નહીં લઈ શકે.. ત્યારે દેવર્ષિ નારદ કંસ પાસે પહોંચ્યા અને આકાશવાણીન વિશે સમજાવ્યું.. તે બાદની વાત તો આપણે જાણીએ છીએ... નારદનો એક અર્થે એવો પણ થાય જે ક્યાંય રદ્દ નથી એ નારદ છે.. 


પત્રકાર તરીકે નારદજીને ઓળખવામાં આવે છે... 

તે સિવાય ભગવાનના ભક્તોને ભક્તિનો સંદેશો નારદજીએ આપ્યો છે.. પ્રહલાદને, ધ્રુવ સહિતના ભક્તોને તેમણે ભક્તિનો માર્ગ બતાવ્યો છે.. એવું પણ માનવામાં આવે છે કે વાલ્મિકીજીને રામાયણ રચવા માટે નારદજીએ પ્રોત્સાહન આપ્યું હતું.. ભાગવત કથામાં પણ નારદજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.. આમ દેવ ઋષિ નારદજીનું કામ ભક્તિનો પ્રસાર અને પ્રચાર કરવાનું છે.. સંદેશવાહક તેમને માનવામાં આવે છે.. જો સાદી ભાષામાં કહીએ તો પૃથ્વી પર પહેલા પત્રકાર નારદજીને માનવામાં આવે છે.. આપ સૌને પણ નારદ જયંતીની હાર્દિક શુભકામના..   



(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે) 



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.