Dharm : આજે છે વસંત પંચમી, વિદ્યાની દેવી માતા સરસ્વતીના આશીર્વાદ મેળવવાનો અવસર...


  • Published By :
  • Published Date : 2024-02-14 10:00:29

આપણા ધર્મમાં દેવી દેવતાઓની પૂજાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. વિવિધ દેવી દેવતાઓની પૂજા માટે એક વિશેષ તિથી આપણા ધર્મમાં જણાવવામાં આવી છે. જેમ ચોથ ભગવાન ગણેશને સમર્પિત હોય છે, અગિયારસ ભગવાન વિષ્ણુને, આઠમ માતાજીને સમર્પિત હોય છે તેમ મહાસુદ પાંચમ વિદ્યાની દેવી માતા સરસ્વતીને સમર્પિત હોય છે. આ દિવસને વસંત પંચમી તરીકે મનાવવામાં આવે છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.  

વસંત પંચમી : ઋતુરાજ વસંતનાં વધામણાં . | Vasant Panchami: Greetings of  Rituraj Vasant

વસંત પંચમીના દિવસે થાય છે માતા સરસ્વતીની પૂજા 

હિન્દુ ધર્મ અનુસાર આપણે ત્યાં ત્રિગુણાત્મિકા દેવીની પૂજા, આરાધના કરવામાં આવે છે, શક્તિ માટે ભક્તો માતા કાળીની પૂજા કરતા હોય છે, ધન માટે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે જ્યારે વિદ્યા માટે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવી છે. માતા સરસ્વતીને વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. વિદ્યાર્થીઓએ આ દિવસે શક્ય હોય તો માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ. માતા સરસ્વતીની કૃપાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ધાર્મિક ગ્રંથોમાં દેવી સરસ્વતીની પૂજાને ધણું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

vasant panchmi 1200


પીળા વસ્ત્ર ધારણ કરવાથી મળે છે માતા સરસ્વતીના આશીર્વાદ 

માતા સરસ્વતીની પૂજા કરતી વખતે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. પીળા વસ્ત્રો પહેરવાથી એવું માનવામાં આવે છે કે માતાની કૃપા જલ્દી પ્રાપ્ત થાય છે. પીળા વસ્ત્રધારણ કરી પૂજા આરાધના કરવાથી વિદ્યાર્થીને વિશેષ લાભ મળે છે. વસંત પંચમીના દિવસે અનેક લોકો લગ્ન કરતા હોય છે કારણ કે આ વસંત પંચમીને વણજોયું મૂહર્ત ગણાય છે. કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ કરવો હોય તો આ દિવસે કરી શકાય છે. આ દિવસે કોઈ મુહુર્ત જોવાની જરૂર રહેતી નથી. વસંત ઋતુ દરમિયાન પ્રકૃતિ પણ ખીલેલી હોય છે. કૃષ્ણ ભગવાન પોતે કહ્યું છે કે ઋતુમાં હું વસંત છું.... 


(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.