Dharm - શ્રાવણ મહિનાનો આજે બીજો સોમવાર, સોમનાથ મંદિરમાં ભક્તોની ઉમટી ભીડ, આ સ્તોત્રથી કરવી જોઈએ ભગવાન શિવની આરાધના..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-12 14:05:28

દેવાધિ દેવ મહાદેવને પ્રિય એવો શ્રાવણ મહિનાનો પ્રારંભ ગયા સોમવારથી થઈ ગયો છે.. શ્રાવણ મહિનામાં ભોળેનાથની પૂજા કરવાનો વિશેષ મહિમા હોય છે. આખા મહિના દરમિયાન વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે પરંતુ શ્રાવણ મહિનામાં આવતા સોમવારનું પણ વિશેષ મહત્વ રહેલું છે. કોઈ વ્યક્તિ આખો શ્રાવણ મહિનાનો ઉપવાસ કરે છે તો કોઈ શ્રાવણ મહિનાનો સોમવાર કરે છે. શ્રાવણ મહિના દરમિયાન મહાદેવના મંદિર કરવા દર્શનાર્થીઓની ભીડ ઉમટતી હોય છે. ગુજરાતમાં આવેલા જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

સોમનાથ જ્યોતિર્લિગમાં ઉમટી ભક્તોની ભીડ

આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.. વહેલી સવારથી મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવે છે.. જ્યોતિર્લિંગના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. મંદિરના પરિસરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. ભક્તોનો મહાસાગર મંદિરમાં જોવા મળી રહ્યો છે. આ સ્તોત્રથી ભગવાન શિવજીની આરાધના કરવી જોઈએ... આ સ્તોત્ર છે શિવપંચાક્ષર સ્તોત્ર... આના સિવાય અનેક એવા સ્તોત્ર છે જેના દ્વારા તમે ભોળાનાથની આરાધના કરી શકો છો..     



नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय।

नित्याय शुद्धाय दिगम्बराय तस्मै 'न' काराय नमः शिवाय॥१॥


 मन्दाकिनीसलिलचन्दनचर्चिताय नन्दीश्वरप्रमथनाथमहेश्वराय।

मन्दारपुष्पबहुपुष्पसुपूजिताय तस्मै 'म' काराय नमः शिवाय॥२॥


शिवाय गौरीवदनाब्जवृन्द‐सूर्याय दक्षाध्वरनाशकाय।

श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै 'शि' काराय नमः शिवाय॥३॥ 


वसिष्ठकुम्भोद्भवगौतमार्य‐मुनीन्द्रदेवार्चितशेखराय

चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै 'व' काराय नमः शिवाय॥४॥


यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय

दिव्याय देवाय दिगम्बराय तस्मै 'य' काराय नमः शिवाय॥५॥


पञ्चाक्षरमिदं पुण्यं यः पठेच्छिवसन्निधौ।

शिवलोकमवाप्नोति शिवेन सह मोदते॥


इति श्रीमच्छंकराचार्यविरचितं शिवपञ्चाक्षरस्त्रोतं सम्पूर्णम्।



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.