Dharm - શ્રાવણ મહિનાનો આજે બીજો સોમવાર, સોમનાથ મંદિરમાં ભક્તોની ઉમટી ભીડ, આ સ્તોત્રથી કરવી જોઈએ ભગવાન શિવની આરાધના..


  • Published By :
  • Published Date : 2024-08-12 14:05:28

દેવાધિ દેવ મહાદેવને પ્રિય એવો શ્રાવણ મહિનાનો પ્રારંભ ગયા સોમવારથી થઈ ગયો છે.. શ્રાવણ મહિનામાં ભોળેનાથની પૂજા કરવાનો વિશેષ મહિમા હોય છે. આખા મહિના દરમિયાન વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે પરંતુ શ્રાવણ મહિનામાં આવતા સોમવારનું પણ વિશેષ મહત્વ રહેલું છે. કોઈ વ્યક્તિ આખો શ્રાવણ મહિનાનો ઉપવાસ કરે છે તો કોઈ શ્રાવણ મહિનાનો સોમવાર કરે છે. શ્રાવણ મહિના દરમિયાન મહાદેવના મંદિર કરવા દર્શનાર્થીઓની ભીડ ઉમટતી હોય છે. ગુજરાતમાં આવેલા જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

સોમનાથ જ્યોતિર્લિગમાં ઉમટી ભક્તોની ભીડ

આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.. વહેલી સવારથી મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવે છે.. જ્યોતિર્લિંગના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. મંદિરના પરિસરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. ભક્તોનો મહાસાગર મંદિરમાં જોવા મળી રહ્યો છે. આ સ્તોત્રથી ભગવાન શિવજીની આરાધના કરવી જોઈએ... આ સ્તોત્ર છે શિવપંચાક્ષર સ્તોત્ર... આના સિવાય અનેક એવા સ્તોત્ર છે જેના દ્વારા તમે ભોળાનાથની આરાધના કરી શકો છો..     



नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय।

नित्याय शुद्धाय दिगम्बराय तस्मै 'न' काराय नमः शिवाय॥१॥


 मन्दाकिनीसलिलचन्दनचर्चिताय नन्दीश्वरप्रमथनाथमहेश्वराय।

मन्दारपुष्पबहुपुष्पसुपूजिताय तस्मै 'म' काराय नमः शिवाय॥२॥


शिवाय गौरीवदनाब्जवृन्द‐सूर्याय दक्षाध्वरनाशकाय।

श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै 'शि' काराय नमः शिवाय॥३॥ 


वसिष्ठकुम्भोद्भवगौतमार्य‐मुनीन्द्रदेवार्चितशेखराय

चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै 'व' काराय नमः शिवाय॥४॥


यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय

दिव्याय देवाय दिगम्बराय तस्मै 'य' काराय नमः शिवाय॥५॥


पञ्चाक्षरमिदं पुण्यं यः पठेच्छिवसन्निधौ।

शिवलोकमवाप्नोति शिवेन सह मोदते॥


इति श्रीमच्छंकराचार्यविरचितं शिवपञ्चाक्षरस्त्रोतं सम्पूर्णम्।



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.