Dharm - માતા ચંદ્રઘંટાની થાય છે નવરાત્રીના ત્રીજા નોરતે આરાધના, તેમની પૂજા કરવાથી ભક્ત બને છે સાહસિક


  • Published By :
  • Published Date : 2024-10-05 12:11:28

આજે આસો નવરાત્રીનો ત્રીજો દિવસ છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન નવ દુર્ગાના અલગ અલગ રૂપોનું પૂજન કરવામાં આવે છે. ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે. નવદુર્ગાનું ત્રીજુ સ્વરૂપ એટલે માતા ચંદ્રઘંટા.. માતા ચંદ્રઘંટા માથા પર ચંદ્ર ધારણ કરે છે માટે તેમને ચંદ્રઘંટા તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્રઘંટા માતાજીની આરાધના કરવાથી સાધક સાહસિક અને નિર્ભય બને છે. ભક્તમાં સાહસ વધે છે.. 

Navratri: Mother incarnated from the mouth of Trinity read the unique story  of Mother Chandraghanta. | Navratri: त्रिदेवों के मुख से माता हुई अवतरित,  पढ़ें मां चंद्रघंटा की अनोखी कहानी


કેવું છે માતા ચંદ્રઘંટાનું રૂપ? 

નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે, બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે ત્યારે ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે. માતા ચંદ્રઘંટાના સ્વરૂપની વાત કરીએ તો માતાજીની દસ ભૂજાઓ છે. દસ ભૂજામાં દેવી કમળ, ધનુષ-બાણ, કમંડળ, તલવાર, ત્રિશુળ, ગદા જેવા વિવિધ અસ્ત્ર-શસ્ત્ર ધારણ કરે છે. સિંહની સવારી માતા કરે છે. એવું માનવામાં આવે છે કે દૈત્યનો સંહાર કરવા માતાજીએ આ સ્વરૂપ ધારણ કર્યું છે. દેવીના આ સ્વરૂપની આરાધના કરવાથી સાધકના તમામ કષ્ટો દુર થાય છે.  




કયા મંત્રથી કરવી માતાજીની આરાધના? 

નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજીને અલગ અલગ નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. ત્રીજા દિવસે દૂધ અર્પણ કરવાથી માતાજીની વિશેષ કૃપા મળે છે તેવી માન્યતાઓ છે. દુધ અર્પણ કરવાથી ધન, વૈભવ તેમજ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે... દરેક માતાજીની પૂજા કરવા માટે વિશેષ મંત્ર હોય છે. માતા ચંદ્રઘંટાની આરાધના કરવા માટેનો આ છે મંત્ર - “ऊं देवी चन्द्रघण्टायै नमः.. જો શક્ય હોય તો નવરાત્રીના દિવસો દરમિયાન ચંડીપાઠનું પઠન કરવાથી માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.  




(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.