Dharm - નવરાત્રીના છઠ્ઠા નોરતે થાય છે માતા કાત્યાયનીની પૂજા, આ મંત્રનો જપ કરવાથી માતાજી થાય છે પ્રસન્ન!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-10-08 13:16:29

આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે... નવરાત્રીના છઠ્ઠા નોરતે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે.. માતા કાત્યાયની નવ દુર્ગાનું છઠ્ઠુ રૂપ છે... ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા કાત્યાયનીની સૌથી પહેલી વખત ઉપાસના મહર્ષિ કાત્યાયને કરી હતી.. મહિષાસુર રાક્ષસને મારવા માટે અલગ અલગ દેવતાઓએ પોતાની શક્તિઓ ભેગી કરી એક શક્તિ બનાવી... દેવતાઓની શક્તિમાંથી દુર્ગા દેવી પ્રગટ થયા.. તે સમયે  ઋષિ કાત્યાયને તેમની સૌથી પહેલા ઉપાસના કરી હોવાને કારણે તેમને કાત્યાયનીના નામથી ઓળખવામાં આવે છે.... દેવી દુર્ગાનું એક નામ કાત્યાયની પણ છે... 

Mata Katyayani is worshiped on the sixth day of Navratri, know what fruits  are obtained by worshiping her


માતાજી કેમ ઓળખાયા કાત્યાયનીના નામથી?

તે સિવાય બીજા એક ઉલ્લેખ પ્રમાણે કાત્યાયન ઋષિ દેવી દુર્ગાને પુત્રી તરીકે રાખવા ઈચ્છતા હતા.. આ ઈચ્છા પૂરી કરવા ઋષિએ ઘોર તપ કર્યું અને દેવી પ્રસન્ન થયા.. દેવીએ તેમને ઈચ્છીત વરદાન આપ્યું અને થોડા સમય બાદ દેવીએ કાત્યાયન ઋષિને ત્યાં પુત્રી રૂપે જન્મ લીધો.. કાત્યાયનની પુત્રી હોવાને કારણે તેઓ કાત્યાયની માતા તરીકે ઓળખાયા... એવો પણ ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં મળે છે કે શરીરમાં રહેલા 7 ચક્રોમાંથી દેવી કાત્યાયની આજ્ઞા ચક્રમાં રહે છે.. તેમની ઉપાસના કરવાથી આજ્ઞા ચક્ર એક્ટિવ થાય છે...


કેવું છે માતાજીનું સ્વરૂપ?

માતાજીના સ્વરૂપની વાત કરીએ તો માતા કાત્યાયનીનું સ્વરૂપ ખૂબ તેજસ્વી છે.. દેવીને ચાર હાથ છે.. ઉપરના જમણા હાથમાં માતાજી અભયમુદ્રામાં છે... નીચેના જમણા હાથમાં વરદમુદ્રા છે..તે ઉપરાંત નીચેના ડાબા હાથમાં માતાજીએ તલવાર અને ઉપરના હાથમાં માતાજીએ કમળ ધારણ કર્યું છે... માતાજી સિંહ પર સવાર છે... માતાજીને પ્રસન્ન કરવાનો આ રહ્યો મંત્ર 


चंद्रहासोज्ज्वल करा शार्दूलवरवाहना।

कात्यायनी शुभं दद्याद् द्देवी दानवघातिनी॥ 


દેવી કાત્યાયની જેમણે ચંદ્રહાસ તલવાર અને અનેક આયુધો ચાર હાથોમાં ધારણ કર્યા છે, સિંહ ઉપર સવારી કરનાર, રાક્ષસોનો વધ કરનાર, મારા પર કૃપા વરસાવો. 


(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે....)



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?