Dharm : Maha Shivratri 2024 - મહાશિવરાત્રીના દિવસે કરો પ્રથમ જ્યોતિર્લિંગ Somnathના દર્શન, જાણો શા માટે મહાશિવરાત્રી હોય છે ખાસ?


  • Published By :
  • Published Date : 2024-03-08 12:18:15

 सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्।

        उज्जयिन्यां महाकालमोङ्कारममलेश्वरम् ॥ १॥

परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम्।

        सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने ॥ २॥

 वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे।

        हिमालये तु केदारं घुश्मेशं च शिवालये ॥ ३॥

एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रात: पठेन्नर:।

        सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति ॥ ४॥


હિન્દુ ધર્મમાં દરેક ભગવાનની મૂર્તિરૂપે પૂજા થાય છે. શિવજી જ એક માત્ર એવા દેવતા છે એવા ભગવાન છે જેમની પૂજા મૂર્તિ સ્વરૂપે નથી થતી. શિવ લિંગસ્વરૂપે તેમની પૂજા, તેમની આરાધના કરવામાં આવે છે. 12 જ્યોતિર્લિંગોના દર્શનનો આપણે ત્યાં વિશેષ મહિમા રહેલો છે. એવું કહેવામાં આવે છે કે જ્યોરિતિર્લિંગના દર્શન માત્રથી પાપોનો નાશ થાય છે. ત્યારે મહાશિવરાત્રીના દિવસે શિવ મંદિરોમાં તેમજ જ્યોતિર્લિંગના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથના દર્શન કરવાનો વિશેષ મહિમા રહેલો છે.  

અનેક શિવમંદિરોમાં કરવામાં આવ્યું હોય છે વિશેષ પૂજાનું આયોજન

દરેક મહિનામાં શિવરાત્રી તો આવતી હોય છે પરંતુ મહાશિવરાત્રીનો મહિમા વિશેષ છે. માન્યતા અનુસાર ભગવાન શંકર અને માતા પાર્વતીના વિવાહ આ દિવસે થયા હતા. શિવ અને શક્તિનું મિલન આ દિવસે થયું હતું. એવું કહેવામાં આવે છે કે શક્તિ વગર શિવ પણ શવ સમાન છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરની વિશેષ પૂજા કરવામાં આવે છે. અનેક જગ્યાઓ પર ભગવાનનો વરઘોડો પણ કાઢવામાં આવે છે. આ દિવસે ઉપવાસ રાખવાથી મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. 

Image

મહા શિવરાત્રી ઉજવવા પાછળ અલગ અલગ છે માન્યતા! 

બીજી માન્યતા એવી પણ છે કે ભગવાન શંકરે ઝેર પીધું હતું. દેવ અને દાનવો દ્વારા સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા ઝેરને પી વિશ્વની રક્ષા કરી હતી. આ દિવસે અંધકાર અને અજ્ઞાનને દૂર કરવા અને ચેતનાની નવી ભાવના સાથે જીવનમાં આગળ વધવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન શંકરની ઉપાસના કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેવું માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શંકરની પૂજા કરવામાં આવે તો ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થાય છે અને આશિર્વાદ આપે છે. શિવમંદિરોમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે.  મહાશિવરાત્રી ઉજવવા પાછળ કારણ ગમે તે હોય જો આપણે ભગવાન આગળ શ્રદ્ધાથી, ભાવથી શીશ ઝુકાવીએ છીએ તો ભગવાન પ્રસન્ન થાય છે!



(અહીંયા અપાયેલી માહિતી ધાર્મિક ગ્રંથોના આધાર પર આધારીત છે)     




હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.