ધનતેરસ પર બુલિયન માર્કેટમાં થઈ ધનવર્ષા, 30 હજાર કરોડના સોનું અને ચાંદીનું થયું વેચાણ


  • Published By :
  • Published Date : 2023-11-10 17:02:02

આજે દેશભરમાં ધનતેરસનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસે સોનું અને ચાંદી ખરીદવું તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. દિલ્હીમાં દુકાનો સામાન્ય દિવસોમાં 11-12 વાગ્યે ખુલતી હતી તે આજે 8 વાગ્યે જ ખુલી હતી. તહેવારનો ઉત્સાહ જુઓ, વરસાદ હોવા છતાં સવારથી જ ગ્રાહકોનો જબરદસ્ત ધસારો જોવા મળી રહ્યો છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના અંદાજ મુજબ આજે સમગ્ર દેશમાં રૂ. 50 હજાર કરોડથી વધુનો વેપાર થયો હતો. 30 હજાર કરોડનો વેપાર માત્ર સોના-ચાંદીમાં જ થયો હતો.


ગયા વર્ષની સરખામણીએ દોઢ ગણાથી વધુનું વેચાણ 


દિલ્હી બુલિયન એન્ડ જ્વેલર્સ વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ વિમલ ગોયલનું કહેવું છે કે બુલિયન માર્કેટમાં સવારથી જ ભારે ભીડ છે. સવારથી જ ગ્રાહકો તૂટી રહ્યા છે. તેમનું કહેવું છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે દોઢ ગણા વધુ ગ્રાહકો છે. તેથી વેચાણ પણ જબરદસ્ત બની રહ્યું છે. તેમના મતે, સામાન્ય દિવસોમાં બુલિયન માર્કેટ સાંજે સાત વાગ્યે બંધ થાય છે. પરંતુ આજે મધરાત સુધી કામકાજ થશે.


50 હજાર કરોડનો બિઝનેસ


CATનું કહેવું છે કે આજે દેશભરમાં 50 હજાર કરોડ રૂપિયાથી વધુનો વેપાર થયો હતો. એકલા દિલ્હીમાં આજે 5 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો. ધનતેરસના દિવસે ગણેશ, લક્ષ્મી, કુબેરની મૂર્તિઓ કે ચિત્રો ખરીદવામાં આવે છે. આજે મોટર વાહનો, સોના-ચાંદીના આભૂષણો, વાસણો, રસોડાનાં ઉપકરણો અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓનું પણ વિપુલ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે.


લગભગ 30 હજાર કરોડના  સોના-ચાંદીનું વેચાણ


CATનું કહેવું છે કે આજે સોના અને ચાંદીનું કુલ વેચાણ લગભગ 30 હજાર કરોડ રૂપિયા હતું. જેમાં સોનાનો હિસ્સો 27 હજાર કરોડ રૂપિયા હતો જ્યારે ચાંદીનો હિસ્સો લગભગ 3000 કરોડ રૂપિયા હતો. ગયા વર્ષે ધનતેરસ પર આ બિઝનેસ લગભગ 25 હજાર કરોડ રૂપિયાનો હતો. ગયા વર્ષે સોનાની કિંમત 52,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જ્યારે આ વખતે તે 62,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. બીજી તરફ, ગત દિવાળીમાં ચાંદી રૂ. 58,000ના ભાવે વેચાતી હતી અને હવે તેની કિંમત રૂ. 72,000 પ્રતિ કિલો છે. એક અંદાજ મુજબ આજે ધનતેરસના દિવસે દેશમાં લગભગ 41 ટન સોનું અને લગભગ 400 ટન ચાંદીના આભૂષણો અને સિક્કાઓનું વેચાણ થયું હતું.



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.