ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના નવા અધ્યક્ષ બન્યા ધનરાજ નથવાણી


  • Published By :
  • Published Date : 2022-11-19 19:19:34

ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના નવા અધ્યક્ષ તરીકે ધનરાજ નથવાણીની નિમણૂક કરવામાં આવી છે. આજે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની વાર્ષીક સભાની બેઠક થઈ હતી. આ બેઠકમાં BCCIના પ્રેસિડેન્ટ જય શાહ, ધનરાજ નથવાણી સહિતના ક્રિકેટને લગતા અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની વાર્ષીક સભામાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના નવા અધ્યક્ષ તરીકે ધનરાજ નથવાણીની નિયુક્તિ કરવામાં આવી છે. ધનરાજ નથવાણી વર્ષ 2025 સુધી ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ તરીકે ફરજ બજાવશે. આજની વાર્ષીક સભામાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના નવા પધાધિકારીઓની પણ નિયુક્તિ કરવામાં આવી હતી. 

Image

શું છે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન 

ગુજરાત ક્રિકેટ એસોસિયેશન એ ગુજરાત રાજ્યમાં ક્રિકેટના વિકાસ અને સંગઠન માટે 10 જિલ્લાઓ અને એક કેન્દ્રશાસિત પ્રદેશની એક પાંખ છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનમાં અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, વલસાડ (બુલસર), ગાંધીનગર, બનાસકાંઠા, પંચમહાલ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA) એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નું કાયમી સભ્ય છે.


આ ગ્રાઉન્ડ GCA હેઠળ આવે છે

અમદાવાદમાં આવેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સુરતનું સીબી પટેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડયમ, વાપીનું બિલાખિયા સ્ટેડિયમ, સુરતનું લાલભાઈ કોન્ટ્રાક્ટ્રર સ્ટેડિમ અને વલસાડનું સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન અંતર્ગત આવે છે. ઉપરના બધા ગ્રાઉન્ડના મેનેજમેન્ટની જવાબદારી અને રણજી ટ્રોફીમાં રમાતા મેચની જવાબદારી જીસીએની રહેતી હોય છે. ધનરાજ નથવાણી અગાઉ જીસીએના વાઈસ પ્રેસિડેન્ટ હતા. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.