જેલમાં બંધ દેવાયત ખવડની મુશ્કેલી વધી, હાઈકોર્ટે રેગ્યુલર જામીન અરજી ફગાવી


  • Published By :
  • Published Date : 2023-02-03 20:35:18

લોક સાહિત્યકાર દેવાયત ખવડને હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે. રાજકોટમાં મયૂરસિંહ રાણા પર હુમલાના કેસમાં સંડોવાયેલા દેવાયત ખવડની રેગ્યુલર જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. ચાર્જશીટ ફાઇલ થયા બાદ આરોપી જામીન અરજી કરી શકશે. મહત્વનું છે કે, આ પહેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડે રાજકોટની સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેને કોર્ટ દ્વારા ફગાવવામાં આવતા દેવાયત ખવડે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. મયૂરસિંહ રાણા પર હુમલો કરવાના ગુનામાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લા 55 દિવસથી જેલમાં બંધ છે.


હુમલા બાદ દેવાયત ખવડ ફરાર


રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરાયો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો હતો. હુમલો કર્યા બાદ 10 દિવસ ફરાર રહ્યા બાદ અંતે દેવાયત ખવડે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદ દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા. 


શું હતો સમગ્ર મામલો?


રાજકોટમાં દેવાયત ખવડ અને  બે સાથીઓએ ગત 7મી ડિસેમ્બરના રોજ સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામની વ્યક્તિ પર હુમલો કર્યો હતો. જો આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ ગઈ હતી. રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખવડ અને તેના સાથીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. જે અંતર્ગત પોલીસે તાત્કાલિક અસરથી આઇપીસીની કલમ 307 સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.