લોકકલાકાર દેવાયત ખવડે સરદાર પટેલ અંગેની કોમેન્ટને લઈ ફરી માંફી માગી, પ્રાયશ્ચિત માટે કરી આ મોટી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-11-01 16:35:23

જાણીતા લોકકલાકાર દેવાયત ખવડ ફરી ચર્ચામાં છે, તેમણે સરદાર પટેલ પર કરેલી કોમેન્ટ મુદ્દે પાટીદાર સમાજની માફી માગી છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામમાં સરદાર પટેલને સમર્પિત એક કાર્યક્રમમાં હાજર રહેલા દેવાયત ખવડે જાહેરમાં માફી હતી તે સાથે જ તેમણે  સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે ફ્રીમાં લોક ડાયરો કરવાની પણ જાહેરાત કરી હતી. ઉલ્લેખનિય છે કે ચમારડી ગામના " સરદાર પ્રેમી " ઉદ્યોગપતિ ગોપાલ વસ્તરપરા દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મ જયંતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ચમારડી ગામ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વલ્લભ નામ ધરાવતા 148 વ્યક્તિઓને વિશિષ્ટ રીતે સન્માનિત કરી સરદારને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ચમારડી ખાતે આયોજિત કાર્યક્રમમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સાંસદ કાછડીયા, ધારાસભ્ય જનક તળાવીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ સહિતના મહાનુભાવો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


દેવાયત ખવડે શું કહ્યું?


ગુજરાતી લોક સાહિત્યકાર દેવાયત ખવડે સરદાર પટેલ જ્યંતીના કાર્યક્રમમાં જાહેરમાં માફી માંગી હતી. આ કાર્યક્રમમાં માફી માગતા જણાવ્યુ કે, મેં ભૂલ જાહેરમાં કરી હતી તેથી માફી પણ જાહેરમાં જ માંગવી પડે. મને મારી ભૂલનું પ્રાયશ્ચિત કરવું છે. લોકસાહિત્યકાર દેવાયત ખવડે કહ્યું કે, આજથી વર્ષો પહેલા મે કરેલી ભૂલ..વાલ્મીકિએ કરેલ ભૂલનું પ્રાયશ્ચિત કર્યું તો વાલિયા લૂંટારામાંથી વાલ્મીકિ બની ગયા. મને એમ લાગ્યું કે, ક્યાંક મારી ભૂલ હશે. મારે ભૂલને સ્વીકારવી પડે. જેમને દેશ માટે બલિદાન આપ્યું અને હું દરેક સમાજ માટે હિન્દુત્વની વાત કરતો હોય તો મારી ભૂલનું પ્રાયશ્ચિત મારે કરવું પડે. પાટીદાર નવરાત્રીમાં મારા મિત્રોએ મને આમંત્રિત આપ્યું અને મને કીધું ખાલી વિડીયો બનાવો... પણ મે કીધું એમ વિડીયો નહીં, ભૂલ જાહેરમાં કરી છે તો ખવડ એની માફી જાહેરમાં માંગે. અમરેલીના ચમારડીમાં સરદાર જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. ચમારડીના કાર્યક્રમમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડને હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં દેવાયત ખવડે સ્ટેજ પર જાહેરમાં માફી માંગી હતી. ઉપરાંત દેવાયત ખવડે જાહેરાત કરી કે, હું ગુજરાત અને દુનિયાના દરેક ખૂણે જીવનભર સરદાર પટેલ જ્યંતી નિમિતે પૈસા લીધા વિના ડાયરા કરીશ.



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.