દ્વારિકાનાથના મંદિરમાં ભક્તોએ સોનું-ચાંદી અર્પણ કર્યું


  • Published By :
  • Published Date : 2022-10-23 21:00:36

માગો વીસ અને આપે ત્રીસ... એ દ્વારકાધીશ....

દિપોત્સવનો પર્વ છે ત્યારે લોકો પરિવાર સાથે મળીને ઉત્સવો મનાવી રહ્યા છે. લોકો બહાર ફરવા જઈ રહ્યા છે અમુક લોકો ધાર્મિક સ્થળો પર જઈ રહ્યા છે. આ દિપોત્સવમાં બે ધનતેરસ હતી. આ મુહૂર્ત સોનું ખરીદવા માટે શુભ ગણવામાં આવતું હોય છે માટે લોકો વાર્ષિક જમાપૂંજીમાંથી સોનું ખરીદતા હોય છે ત્યારે દ્વારકાના જગતમંદિરમાં ભક્તોએ સોના-ચાંદીનું દાન કર્યું હતું. 


111 ગ્રામ સોનું, 1 કિલો 100 ગ્રામ ચાંદી દ્વારિકાધિશને અર્પણ 

યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં આજના દિવસે સોના અને ચાંદીનું દાન કરવામાં આવ્યું હતું. ધનતેરસના પવિત્ર પર્વ પર દ્રારકાના જગતમંદિરમાં ભક્તોએ સોના ચાંદીનું દાન કર્યું હતું. આજે 111 ગ્રામ સોનું અને 1 કિલો 100 ગ્રામ ચાંદી દાન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ભગવાનને સોનાના 111 ગ્રામ કુંડળ અને 1 કિલો 100 ગ્રામ ચાંદીનો થાળ અર્પણ કર્યો હતો. દ્રારકામાં જગતના નાથ દ્વારિકાધિશનું મંદિર છે, લોકોની દ્વારિકાધિશમાં અપાર શ્રદ્ધા છે ત્યારે આજે ભક્તો દ્વારિકાના નાથને દાન અર્પણ કર્યું હતું. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.