હિંદુઓ સમયસર લગ્ન કરી, પાંચ-છ બાળકો પેદા કરો: ભાગવત કથાકાર દેવકીનંદન ઠાકુર


  • Published By :
  • Published Date : 2023-02-20 18:41:25

દેશના જાણીતા ભાગવત કથાકાર દેવકીનંદન ઠાકુર મહારાજે તેમના નિવેદનથી ફરી વિવાદ સર્જ્યો છે.આ વખતે તેઓ વસ્તી નિયંત્રણ કાયદા પર નિવેદન આપીને ચર્ચામાં આવ્યા છે. નાગપુરમાં તેમણે કહ્યું કે જ્યાં સુધી વસ્તી નિયંત્રણ કાયદો ન આવે ત્યાં સુધી દરેક હિંદુએ પાંચથી છ બાળકો પેદા કરવા જોઈએ. દેવકીનંદને સનાતન બોર્ડની રચના કરવાની પણ માંગ કરી છે અને કહ્યું છે કે આ બોર્ડમાં માત્ર ધર્માચાર્યો જ રહેશે. 


સનાતન ધર્મ પર સૌથી મોટો હુમલો


ભાગવત કથાકાર અને વૃંદાવનમાં ઠાકુર પ્રિયકાંત ઝૂ મંદિરના સ્થાપક દેવકીનંદન ઠાકુરે કહ્યું, "હું કહું છું કે જ્યાં સુધી વસ્તી નિયંત્રણ કાયદો ન આવે ત્યાં સુધી દરેક સનાતનીએ વધુને વધુ બાળકો પેદા કરવા જોઈએ. આ માટે સમયસર લગ્ન કરો અને પાંચ-છ બાળકોને જન્મ આપો". 


દેવકીનંદન ઠાકુરે વધુમાં કહ્યું કે આજ સુધી વસ્તી પર નિયંત્રણ નથી આવ્યું. વસ્તી વિસ્ફોટ કેટલો મોટો થયો છે તેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. 4 બીબી અને 40 બાળકો જેવી બાબતો પર બોલનાર કોઈ નથી. આઝાદી પછી સૌથી મોટો હુમલો સનાતન ધર્મ પર થયો છે.


હિંદુઓ પાસે છે સોનેરી તક


દેવકીનંદને કહ્યું કે, જ્યારે સુધી ભારતમાં જનસંખ્યા નિયંત્રણ કાયદો લાગૂ નથી, ત્યાં સુધી દરેક સનાતની પાસે એક સોનેરી મોકો છે. પણ કાયદો લાગૂ થયા બાદ તે હિસાબે પરિવાર નિયોજન કરો. દેવકીનંદન ઠાકુરે કહ્યું કે,અમે હિન્દુ રાષ્ટ્રની માગ કરી રહ્યા છીએ. તેમણે કહ્યુ કે, અમુક લોકોને ખુલ્લા સાંઢની માફક છોડી મુકવામાં આવ્યા છે અને આપણને ફક્ત બે બાળકો સુધી સીમિત કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, દેશ ત્યાં સુધી જ સેક્યુલરવાદ છે, જ્યાં સુધી સનાતની બહુસંખ્યક છે. જે દિવસે આપણે અલ્પસંખ્યક થઈ જઈશું, તો આપણી હાલત બદલી જશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.