હિંદુઓ સમયસર લગ્ન કરી, પાંચ-છ બાળકો પેદા કરો: ભાગવત કથાકાર દેવકીનંદન ઠાકુર


  • Published By :
  • Published Date : 2023-02-20 18:41:25

દેશના જાણીતા ભાગવત કથાકાર દેવકીનંદન ઠાકુર મહારાજે તેમના નિવેદનથી ફરી વિવાદ સર્જ્યો છે.આ વખતે તેઓ વસ્તી નિયંત્રણ કાયદા પર નિવેદન આપીને ચર્ચામાં આવ્યા છે. નાગપુરમાં તેમણે કહ્યું કે જ્યાં સુધી વસ્તી નિયંત્રણ કાયદો ન આવે ત્યાં સુધી દરેક હિંદુએ પાંચથી છ બાળકો પેદા કરવા જોઈએ. દેવકીનંદને સનાતન બોર્ડની રચના કરવાની પણ માંગ કરી છે અને કહ્યું છે કે આ બોર્ડમાં માત્ર ધર્માચાર્યો જ રહેશે. 


સનાતન ધર્મ પર સૌથી મોટો હુમલો


ભાગવત કથાકાર અને વૃંદાવનમાં ઠાકુર પ્રિયકાંત ઝૂ મંદિરના સ્થાપક દેવકીનંદન ઠાકુરે કહ્યું, "હું કહું છું કે જ્યાં સુધી વસ્તી નિયંત્રણ કાયદો ન આવે ત્યાં સુધી દરેક સનાતનીએ વધુને વધુ બાળકો પેદા કરવા જોઈએ. આ માટે સમયસર લગ્ન કરો અને પાંચ-છ બાળકોને જન્મ આપો". 


દેવકીનંદન ઠાકુરે વધુમાં કહ્યું કે આજ સુધી વસ્તી પર નિયંત્રણ નથી આવ્યું. વસ્તી વિસ્ફોટ કેટલો મોટો થયો છે તેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. 4 બીબી અને 40 બાળકો જેવી બાબતો પર બોલનાર કોઈ નથી. આઝાદી પછી સૌથી મોટો હુમલો સનાતન ધર્મ પર થયો છે.


હિંદુઓ પાસે છે સોનેરી તક


દેવકીનંદને કહ્યું કે, જ્યારે સુધી ભારતમાં જનસંખ્યા નિયંત્રણ કાયદો લાગૂ નથી, ત્યાં સુધી દરેક સનાતની પાસે એક સોનેરી મોકો છે. પણ કાયદો લાગૂ થયા બાદ તે હિસાબે પરિવાર નિયોજન કરો. દેવકીનંદન ઠાકુરે કહ્યું કે,અમે હિન્દુ રાષ્ટ્રની માગ કરી રહ્યા છીએ. તેમણે કહ્યુ કે, અમુક લોકોને ખુલ્લા સાંઢની માફક છોડી મુકવામાં આવ્યા છે અને આપણને ફક્ત બે બાળકો સુધી સીમિત કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, દેશ ત્યાં સુધી જ સેક્યુલરવાદ છે, જ્યાં સુધી સનાતની બહુસંખ્યક છે. જે દિવસે આપણે અલ્પસંખ્યક થઈ જઈશું, તો આપણી હાલત બદલી જશે.



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.