Kutchના આ ગામમાં વિકાસ પહોંચવાનું ભૂલી ગયો! બાળકો નદી પાર કરીને School જવા મજબૂર! આ પરિસ્થિતિનો સામનો બાળકોને કરવો પડે છે..!


  • Published By :
  • Published Date : 2024-08-02 18:02:24

આપણે નાના હતા તો આપણા મમ્મી પપ્પા આપણને એમ કહેતા કે બેટા અમે તો નદી પાર કરીને નિશાળ જતાં હતા. એમનો કહેવાનો મતલબ હતો કે ત્યારે સુવિધાનો અભાવ હતો જેને કારણે આવી પરિસ્થિતિથી તેમને પસાર થવું પડતું હતું.. મુશ્કેલીઓ વેઠીને સ્કૂલ જતાં.. પણ હવે તો સરકાર હજારો કરોડો રૂપિયા શિક્ષણ અને રસ્તા બનાવવા પાછળ વાપરી રહી છે. પરંતુ તો પણ કચ્છથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે વિચારવા મજબૂર કરી દે છે કે આટલા બધા પૈસા જાય છે ક્યાં? 

આજે પણ નદી પાર કરીને શાળાએ જવા વિદ્યાર્થીઓ મજબૂર

જે વીડિયોની વાત કરી રહ્યા છીએ તે દ્રશ્યો કચ્છના નુંધાતનથી ખરૂઆના છે..  આ રોડ પરથી કંકાવટી નદી પસાર થાય છે. એક બાજુ રબારીવાસ છે જ્યાં માલધારીઓ રહે છે અને બીજી બાજુ શાળા છે. એટલે ત્યાંના બાળકોએ જ્યારે સ્કૂલ જવું હોય ત્યારે આ રીતે જ નદી પાર કરીને શાળાએ જવું પડે છે.. ત્યાંના સ્થાનિક વ્યક્તિએ અમને આ વીડિયો મોકલ્યો અને રજુઆત કરી કારણ કે ત્યાંના નેતાઓ અને આગેવાનો તો બીજી જગ્યાએ વ્યસ્ત છે તો એ કઈ રીતે આ રજુઆત સાંભળે,..


સ્થાનિક લોકોએ ધારાસભ્ય અને સાંસદને કરી રજૂઆત પરંતુ...

અબડાસાના ધારાસભ્ય, કચ્છના સાંસદ બધાને આ લોકોએ પત્ર લખ્યો અને એક પુલની માગણી કરી. કારણ કે ત્યાં 40 જેટલા પરિવારો રહે છે જેમને દર વર્ષે આ હાલાકીનો સામનો કરવો પડે છે.  બાળકો ચાલીને ભણવા જાય છે પણ પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ત્યાં કોઈ બિમાર હોય કે કોઈ મહિલા સગર્ભા હોય તો પણ આ સ્થિતિમાં જ એમને લઈ જવા પડે છે.. નદી ઓળંગીને બાળકો તેમજ સ્થાનિક લોકો ત્યાં પહોંચે છે.. 



અનેક ગામડાઓમાં આજે પણ આવી જ હશે પરિસ્થિતિ

આપણે બહું સરળતાથી કહી દઈએ છે કે યોજનાઓ છેક છેવાડાના માનવી સુધી પહોંચે છે. જે પરિસ્થિતિ આ ગામની છે તે પરિસ્થિતિ અનેક ગામડાઓની, અનેક સ્થળોની હશે. આ દ્રશ્યો ગુજરાતની વાસ્તવિક્તા દર્શાવે છે.. આજે પણ  અનેક ગામડાઓ એવા છે જ્યાં બાળકોને આવી રીતે જવું પડે છે... ત્યારે આ દ્રશ્યો જોઈ તમારા મનમાં શું વિચાર આવ્યો તે અમને કમેન્ટમાં જણાવજો..   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે