જામીન મળતા જ દેવાયત ખવડે લોકડાયરામાં ફરી જમાવટ કરી, જો કે તેમના આ નિવેદને વિવાદ સર્જ્યો


  • Published By :
  • Published Date : 2023-03-06 13:34:20

જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડને 72 દિવસના જેલવાસ બાદ જામીન મળતા ફરી સક્રિય થયા છે. તેઓ ગઈકાલ રાતે ભાવનગરના પાલિતાણામાં આયોજીત એક લોકડાયરામાં પહોંચ્યા હતા લોકડાયરામાં તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને માથે સાફો પહેરાવી સન્માન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ એક કલાક સુધી તેમણે લોકસંગીતની રમઝટ બોલાવી હતી. આ ડાયરામાં દેવાયત ખાવડના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમણે લગભગ એક કલાકથી વધુ સમય સુધી સતત દેવાયત ખવડ પર રૂપિયાનો અને ડોલરનો વરસાદ કર્યો હતો. જો કે દેવાયતે આ દરમિયાન એક નિવેદન કરી ફરી વિવાદને આમંત્રણ આપ્યું છે.


શું બોલ્યા દેવાયત ખવડ? 


પાલિતાણામાં આવેલા કોલંબા ધામ કમળાઈ માતાજીના મંદિર ખાતે તારીખ 5 માર્ચ 2023ને રવિવારના રોજ રાત્રિના કમળાઈ માતાજી હુતાશની પર્વ નિમિત્તે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેવાયત ખવડે માતાજીની આરાધના સાથે પોતાની કલાની શરૂઆત કર્યા બાદ સ્ટેજ પરથી  કહ્યું કે, જેલમાં નીકળ્યા બાદનો મારો આ પ્રથમ ડાયરો છે  કે આમ તો હું શું બોલીશ એની આખું ગુજરાત રાહ જોઈને બેઠું છે, પરંતુ હું કોઈ વાયડાઈ કરીશ નહીં, કારણ કે વાઇડાઇ કોઇ દી જીતે નહીં, માત્ર વ્યવહારની જ વાત કરીશ,વ્યવહાર જ જીતે છે. એટલે જે કાંઇ વાતો કરવી છે આપડે, આનંદ કરવો છે મા જગદંબાના ખોળામાં. પહેલાં પણ બોલતો અને હજુ પણ બોલું છું કે ઝુકેગા નહીં સાલા...  


જામીન અંગે કરી આ વાત


દેવાયત ખવડે કહ્યું કે, આમ તો સમય ઘણોય વીતી ગયો છે બધાના પ્રેમ, લાગણી અને બધાનાએ હેત સમાજનો તો છે પણ અઢ્ઢારે વરણનો પ્રેમ અને લાગણી હતી. મારા માટે જેણે પ્રાર્થના કરી હશે એ માના ચરણોમાં આજનો ડાયરો સમર્પિત કરૂ છું. તેમણે ઉમેર્યું કે, મારા હિતની પાર્થના ન હોય. જામીન રિજેક્ટ પર રિજક્ટ  થતાં તા ત્યારે દુનિયા દાંતે ચડી હતી પણ એને ખબર ન નથી નવઘણના ભાલે બેઠેલી મારે કલમે બેસે તો સમજજો કે, મારા ગઢડાવાળી આવી છે. તેમણે કહ્યું કે, મા પર ભરોશો હોય- મા જંગદબા પર ભરોશો હોય આબરુ રાખે જ. અત્રે ઉલ્લેખનિય છે કે લોકસાહિત્યકાર દેવાયત ખવડે તેના સાથીઓ સાથે ગત ડિસેમ્બરમાં  મયુરસિંહ રાણા નામના એક યુવક પર હુમલો કર્યો હતો, ત્યાર બાદ ફરિયાદ થતા તેમની ધરપકડ થઈ હતી અને તેમને 72 દિવસ સુધી જેલવાસ ભોગવવો પડ્યો હતો.


આ ખ્યાતનામ કલાકારોએ જમાવટ કરી


કોલંબા ધામમાં આયોજીત આ ડાયરો વહેલી સવાર સુધી ચાલ્યો હતો, આ ડાયરામાં કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, ઉદય ધાધલ અને દેવાયત સહિત નામી કલાકારોએ હાજરી આપી હતી. હજારોની સંખ્યામાં લોકો ડાયરો સાંભળવા સૌરાષ્ટ્રભરમાંથી ઊમટી પડ્યા હતા. હરહંમેશની જેમ દરેક કલાકાર પર રૂપિયાનો વરસાદ થતો નજરે પડ્યો હતો.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!