લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલી વધી,જામીન અરજી ફરી નામંજૂર


  • Published By :
  • Published Date : 2023-02-15 16:53:04

રાજયના જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડને મારપીટ કરવી ભારે પડી રહી છે. રાજકોટની સેશન્સ કોર્ટમાં તેમણે કરેલી રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. રાજકોટની સેશન્સ કોર્ટમાં તેમણે કરેલી રેગ્યુલર જામીન પર આજે સુનાવણી થઇ હતી, જો કે કોર્ટે તે જામીન અરજી ફગાવી દીધી છે. દેવાયત ખવડના વકીલ દ્વારા રાજકોટની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ દેવાયત ખવડના વચગાળાના જામીન સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા હતા. 


મામલો શું હતો?


લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સોએ રાજકોટમાં 7 ડિસેમ્બર 2022ના રોજ બિલ્ડર મયૂરસિંહ રાણા પર પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો. મયૂરસિંહને ધોકા-પાઇપના આડેધડ ફટકા ઝીંકી દેવાયત સહિતના શખસ કારમાં નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.  જોકે આ કેસમાં 9 દિવસ ફરાર રહેલો દેવાયત ખવડ 10માં દિવસે ક્રાઈમ બ્રાન્ચમાં સામેથી હાજર થયો હતો. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને જેલ હવાલે કર્યો હતો. બાદમાં એક પછી એક તેમની જામીન અરજી કોર્ટમાં નામંજૂર થતા છેલ્લા બે મહિનાથી જેલમાં છે. ચાર્જશીટ બાદ મુકેલી રેગ્યુલર જામીન અરજી પણ આજે કોર્ટે ફગાવી દીધી છે. આ પહેલા વચગાળાની જામીન અરજી કરી હતી અને તે પણ કોર્ટે ફગાવી દીધી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.