Devanshi Joshiએ સમજાવ્યું 'તેજ'ની ગંભીરતા વિશે! વાવાઝોડાને લઈ હવામાન વિભાગે અને Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-10-20 10:47:58

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ચોમાસાએ સત્તાવાર રીતે રાજ્યમાંથી વિદાય લઈ લીધી હતી પરંતુ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. રાજ્યમાં નવરાત્રી દરમિયાન વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી હતી. પહેલા આગાહી હતી કે મેચ દરમિયાન વરસાદ આવશે પરંતુ છેલ્લી ઘડીએ આગાહીમાં બદલાવ આવ્યો અને વરસાદ નહીં આવે તેવી વાત કરવામાં આવી. તે બાદ આગાહી કરવામાં આવી કે  16-17 તારીખો દરમિયાન વરસાદ આવશે જે નવરાત્રીની મજા બગાડશે. પરંતુ આ તારીખો દરમિયાન પણ વરસાદ ન આવ્યો હતો. ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે ચક્રવાત આવશે તેવી આગાહી, તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આ આગાહી!

નવરાત્રી દરમિયાન ન માત્ર વરસાદ પરંતુ બિપોરજોય જેવું ગંભીર વાવાઝોડું આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વાવાઝોડું 'તેજ' આવશે તેવી આગાહી સાંભળતા જ ખેલૈયાઓમાં ભારે નિરાશા જોવા મળી હતી. અરબ સાગરમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વાવાઝોડાને લઈ આગાહી કરતા જણાવ્યું હતું કે 'અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી છે. જે આગામી 21મી ઓક્ટોબરે સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. આ વખતે દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ મધ્યમમાં લો પ્રેશર સિસ્ટમ બની છે. ત્યારે આગામી 24 કલાક બાદ સિસ્ટમ વધુ મજબૂત બનશે.’


અંબાલાલ કાકાએ જણાવ્યું સિસ્ટમ કયા દિવસે વધુ સક્રિય થશે!

લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા જાય તેવી સૂચના આપવામાં આવી છે. એવું પણ તેમણે જણાવ્યું કે ગુજરાતમાં આ વાવાઝોડાની અસર થશે કે કેમ તે કહેવું હાલ વહેલું પડશે. તે ઉપરાંત વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ કાકાએ આગાહી કરતા જણાવ્યું કે 'અરબી સમુદ્રમાં વાવાઝોડાની પ્રકિયા શરુ થઈ ચૂકી છે. 20 ઓક્ટોબરે સિસ્ટમ મજબૂત બનશે. 21થી 24 ઓક્ટોબરે વાવાઝોડુ વધુ મજબુત બનશે. વાવાઝોડાને કારણે પવનની ગતિ 150 કિલોમીટર જેટલી રહેવાની શક્યતા છે. ગુજરાતના વાતાવરણ પર આની અસર થશે તેવી આગાહી છે. વાવાઝોડાને કારણે મુંબઈમાં એલર્ટ જાહેર કરવામાં આવતું હતું. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!