દિલ્હીમાં ભારે વરસાદને કારણે બગડતી પરિસ્થિતિ, સીએમ કેજરીવાલે માગી સેનાની મદદ, જુઓ વરસાદને કારણે સર્જાયેલા દ્રશ્યોના વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-14 14:56:52

દિલ્હીમાં વરસાદે કહેર વરસાવ્યો છે. અવિરત વરસી રહેલા વરસાદને કારણે દિલ્હીની પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. રાજધાની દિલ્હીના રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. યમુના નદીનું જળસ્તર વધ્યું પરંતુ હવે તે ખતરાની સપાટીથી નીચે આવી ગયું છે. પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સુપ્રીમ કોર્ટની બહારના રસ્તાઓ પણ પાણી પાણી થઈ ગયા છે. જનજીવન ખોરવાઈ ગયું છે. લાલ કિલ્લો, રાજઘાટ તેમજ અનેક જગ્યાઓ પાણી ભરાઈ ગયા છે. થોડા સમય પહેલા જે હાલ હિમાચલ પ્રદેશના હતા તેવા હાલ દિલ્હીના જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી  અરવિંદ કેજરીવાલે સેનાની તેમજ એનડીઆરએફની મદદ માગી છે.

દિલ્હીમાં સર્જાયા પૂર જેવા દ્રશ્યો

દેશના અનેક રાજ્યોમાં વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે અનેક રાજ્યોના લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે. ઉત્તરભારતના રાજ્યોને મેઘરાજા ધમરોળી રહ્યા છે. રસ્તાઓ પર નદીઓ વહી રહી છે. હિમાચલ પ્રદેશમાં મેઘપ્રકોપ જોવા મળ્યો હતો. ત્યારે હિમાચલ પ્રદેશ બાદ જાણે દિલ્હીનો વારો હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હીમાં વરસી રહેલા અવિરત વરસાદને કારણે રાજ્ય સરકારની ચિંતા વધી છે. યમુના નદીમાં નવા નીરની આવક થઈ હતી. નદીના જળસ્તરમાં ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે. રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે. વરસાદી પાણી સુપ્રીમ કોર્ટની બહાર ભરાઈ ગયા છે. સુપ્રીમ કોર્ટના રસ્તાની બહાર વરસાદી પાણી ભરાઈ ગયા છે. ઉપરાંત લાલ કિલ્લા નજીક પણ પાણી ભરાઈ ગયા છે. ત્યારે દિલ્હીમાં સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે. રાહત શિબિરોની શરૂઆત કરવામાં આવી છે.

 

મુખ્યમંત્રીએ માગી સેનાની મદદ  

દિલ્હીમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સેનાની મદદ માગી છે. પીએમ મોદીએ પણ દિલ્હીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. યમુનાનું જળસ્તર વધ્યું હતું પરંતુ જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ નદીનું જળસ્તર ઘટી રહ્યું છે. જે દિલ્હીવાસીઓ માટે તેમજ સરકાર માટે રાહતની વાત છે. મુખ્યમંત્રીએ પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી લખ્યું કે યમુનાનું પાણી શહેરમાં ઘૂસી ગયું છે. જેને કારણે આઈટીઓ અને તેની આસપાસ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મેં મુખ્ય સચિવને સેના અને એનડીઆરએફની મદદ લેવા માટે આદેશ આપ્યો છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.