દિલ્હીમાં ભારે વરસાદને કારણે બગડતી પરિસ્થિતિ, સીએમ કેજરીવાલે માગી સેનાની મદદ, જુઓ વરસાદને કારણે સર્જાયેલા દ્રશ્યોના વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-14 14:56:52

દિલ્હીમાં વરસાદે કહેર વરસાવ્યો છે. અવિરત વરસી રહેલા વરસાદને કારણે દિલ્હીની પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. રાજધાની દિલ્હીના રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. યમુના નદીનું જળસ્તર વધ્યું પરંતુ હવે તે ખતરાની સપાટીથી નીચે આવી ગયું છે. પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સુપ્રીમ કોર્ટની બહારના રસ્તાઓ પણ પાણી પાણી થઈ ગયા છે. જનજીવન ખોરવાઈ ગયું છે. લાલ કિલ્લો, રાજઘાટ તેમજ અનેક જગ્યાઓ પાણી ભરાઈ ગયા છે. થોડા સમય પહેલા જે હાલ હિમાચલ પ્રદેશના હતા તેવા હાલ દિલ્હીના જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી  અરવિંદ કેજરીવાલે સેનાની તેમજ એનડીઆરએફની મદદ માગી છે.

દિલ્હીમાં સર્જાયા પૂર જેવા દ્રશ્યો

દેશના અનેક રાજ્યોમાં વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે અનેક રાજ્યોના લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે. ઉત્તરભારતના રાજ્યોને મેઘરાજા ધમરોળી રહ્યા છે. રસ્તાઓ પર નદીઓ વહી રહી છે. હિમાચલ પ્રદેશમાં મેઘપ્રકોપ જોવા મળ્યો હતો. ત્યારે હિમાચલ પ્રદેશ બાદ જાણે દિલ્હીનો વારો હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હીમાં વરસી રહેલા અવિરત વરસાદને કારણે રાજ્ય સરકારની ચિંતા વધી છે. યમુના નદીમાં નવા નીરની આવક થઈ હતી. નદીના જળસ્તરમાં ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે. રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે. વરસાદી પાણી સુપ્રીમ કોર્ટની બહાર ભરાઈ ગયા છે. સુપ્રીમ કોર્ટના રસ્તાની બહાર વરસાદી પાણી ભરાઈ ગયા છે. ઉપરાંત લાલ કિલ્લા નજીક પણ પાણી ભરાઈ ગયા છે. ત્યારે દિલ્હીમાં સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે. રાહત શિબિરોની શરૂઆત કરવામાં આવી છે.

 

મુખ્યમંત્રીએ માગી સેનાની મદદ  

દિલ્હીમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સેનાની મદદ માગી છે. પીએમ મોદીએ પણ દિલ્હીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. યમુનાનું જળસ્તર વધ્યું હતું પરંતુ જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ નદીનું જળસ્તર ઘટી રહ્યું છે. જે દિલ્હીવાસીઓ માટે તેમજ સરકાર માટે રાહતની વાત છે. મુખ્યમંત્રીએ પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી લખ્યું કે યમુનાનું પાણી શહેરમાં ઘૂસી ગયું છે. જેને કારણે આઈટીઓ અને તેની આસપાસ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મેં મુખ્ય સચિવને સેના અને એનડીઆરએફની મદદ લેવા માટે આદેશ આપ્યો છે.   



થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .