બેરોજગારી દિવસ કાર્યક્રમ માટે ભેગા થયેલા NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 18:25:28

યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા રાષ્ટ્રીય બેરોજગાર દિવસ નિમિત્તે વિરોધ પ્રદર્શન 

આજે વડાપ્રધાન નરેન્દ્ર  મોદી ના જન્મદિવસ છે ત્યારે યુથ કોગ્રેસ અને NSUI બેરોજગાર દિવસ તરીકે ઉજવે છે આજે રાષ્ટ્રીય બેરોજગાર દિવસ ઉજવી કાર્યક્રમ NSUI અને યુથ કોંગ્રેસ  દ્વારા રાખવામાં આવ્યો. એલ.જી હોસ્પિટલ પાસે NSUI દ્વારા બેરોજગારી દિવસની ઉજવણી કરવા માટે NSUIના કાર્યકરો ભેગા થઈ રહ્યા હતા અને કાર્યક્રમ કરીને વિરોધ કરવાના હતા. પરંતુ પોલીસે તે અગાઉ જ અટકાયત કરી દીધી છે. બીજી તરફ યુથ કોંગ્રેસ દ્વારા હાટકેશ્વર પાસે બેરોજગારી દિવસ ઉજવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં પણ પોલીસે કાર્યક્રમ અગાઉ જ કાર્યકરોની અટકાયત કરી દીધી હતી.


યુવાનોની લાગણી 

"વડાપ્રધાને લાખો નોકરીનો વાયદો કર્યો હતો જેની સામે આજે કરોડો યુવાઓ બેરોજગાર છે.વડાપ્રધાન સુધી વાત પહોંચાડવા આજે અમે બેરોજગાર દિવસ ઉજવવા ભેગા થયા હતા"  



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.