કર્ણાટકના 30માં CM તરીકે સિદ્ધારમૈયાએ અને ઉપ-મુખ્યમંત્રી પદ માટે ડી કે શિવકુમારે આજે લીધા શપથ


  • Published By :
  • Published Date : 2023-05-20 14:52:45

કર્ણાટકમાં કોંગ્રેસના અગ્રણી નેતા સિદ્ધારમૈયાએ આજે કર્ણાટકના 30માં મુખ્યમંત્રી પદની શપથ લીધી છે. આ ઉપરાંત ડી કે શિવકુમારે નવી સરકારમાં ઉપ-મુખ્યમંત્રી પદની શપથ લીધી છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ધારાસભ્યો સતીષ જરકીહોલી ડો.જી પરમેશ્વર. કે.એચ મુનિયપ્પા કેજે. જોર્જ અને એમબી પાટિલએ કેબિનેટ મંત્રી તરીકેને શપથ ગ્રહણ કર્યાં, અન્ય 8 ધારાસભ્યોને પણ સિદ્ધારમૈયા મંત્રી મંડળમાં જગ્યા મળી છે. કાર્યક્રમમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ બેંગલુરૂના કાંતિરવા સ્ટેડિયમમાં યોજાયો હતો.


દેશના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા


આ શપથવિધી સમારોહમાં બિહારના સીએમ નીતિશ કુમાર, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુ અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન, મક્કલ નીધી મૈયામના વડા કમલ હાસન, રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત, મેહબુબા મુફ્તી અને ફારૂક અબ્દુલા સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ શપથ લીધા બાદ સમારોહમાં હાજરી આપવા આવેલા વિપક્ષના નેતા સાથે પણ સિદ્ધારમૈયાએ હાથ મિલાવ્યા હતા. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.