પત્રકારોની જમાવટ: દેવાંશી જોશીએ પત્રકાર Ajay Umatને અનેક દુર્ઘટનાઓને લઈ સવાલ પૂછ્યો, રાજકોટ દુર્ઘટનાને લઈ અનેક સવાલોના મળી જશે જવાબ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-31 13:43:47

થોડા સમય પહેલા ગુજરાતમાં એક નિવેદનને કારણે મોટું આંદોલન છેડાઈ ગયું હતું.. અનેક જગ્યાઓ પર નિવેદનનો વિરોધ થયો, અનેક નેતાઓને નાગરિકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું.. તે સમયે લાગતું હતું કે નાગરિકો જે ધારે તે કરી શકે છે. નાગરિકમાં તે શક્તિ રહેલી છે કે ભલ ભલી સરકારને હલાવી નાખે.. અનેક વખત એવું જોવામાં આવ્યું છે અનેક મુદ્દાઓ પર નાગરિક બોલે છે પરંતુ સુરક્ષાની વાત જ્યારે આવે છે ત્યારે તે ચૂપ થઈ જાય છે.. સમાજની વાત આવે ત્યારે લોકોને એક થતા જોયા છે પરંતુ જ્યારે નાગરિક થવાની વાત આવે ત્યારે તે મૌન થઈ જાય છે.

દુર્ઘટના સર્જાઈ તે બાદ તંત્ર એક્શનમાં આવ્યું 

રાજકોટમાં બનેલી ઘટનાએ બધાને હચમચાવી નાખ્યા છે.. લોકોમાં રહેલી ચેતના જાણે સુઈ ગઈ હોય તેવું લાગે છે.. રાજકોટમાં બનેલી ઘટના સહિત અનેક મુદ્દાઓને લઈ દેવાંશી જોષીએ વરિષ્ઠ પત્રકાર Ajay Umat સાથે પત્રકારોની જમાવટ કરી હતી જેમાં અનેક મુદ્દાઓ પર વાત કરવામાં આવી.. વાતચીત દરમિયાન સરે જણાવ્યું કે રાજકોટની દુર્ઘટના બાદ અનેક જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું અને ગેમ ઝોનને સિલ કરવામાં આવી, કાર્યવાહી કરવામાં આવી પરંતુ આ દુર્ઘટના સર્જાઈ તે બાદ..રાજકોટમાં આટલી મોટી ઈમારત કેવી રીતે બની ગઈ તેની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી.. અનેક કાયદાઓની વાત કરી હતી.. 



અનેક કિસ્સાઓને તેમણે યાદ કર્યા.. 

તે સિવાય સિસ્ટમને લઈ પણ તેમણે વાતો કરી.. હાઈકોર્ટના નિર્દેશોને જાણે સિસ્ટમ ઘોળીને પી ગઈ હોય તેવું લાગે છે તેવું તેમણે કહ્યું.. હાઈકોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો હતો પંરતુ તેનું પાલન કેટલું થયું તે આપણે જાણીએ છીએ.. તે સિવાય તેમણે અમદાવાદમાં બનેલા ગેમ ઝોનમાં બનેલી ઘટનાઓ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે કોઈ પણ જિંદગી કેમ ના હોય તે જિંદગી કિંમતી છે.. બે લાખ, ચાર લાખનું વળતર આપો તે તો મજાક થઈ ગઈ છે તેમણે કહ્યું.. તપાસ કમિટી દ્વારા કરવામાં આવતી તપાસના રિપોર્ટ વિશે પણ તેમણે વાત કરી હતી..    



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.