દિયોદરના MLA કેશાજી ચૌહાણને પાણી મુદ્દે વચન આપવું ભારે પડ્યું, હવે સાંભળવા પડી રહ્યા છે લોકોના મ્હેણાં ટોણાં


  • Published By :
  • Published Date : 2023-05-24 18:35:37

ઉનાળાના ધોમઘખતા તાપથી ત્રસ્ત ઉત્તર ગુજરાતના લોકો પાણીની અછતથી પણ ત્રાહિમામ પોકારી ગયા છે. બનાસકાંઠામાં પાણીના મુદ્દે રાજકારણ ગરમાયું છે. દિયોદરના ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણને પાણી મુદ્દે લોકોના મ્હેણાં ટોણાં સાંભળવા પડી રહ્યા છે. કેમ કે ધારાસભ્ય કેશાજી ચૌહાણે એક મહિના પહેલા દિયોદર પંથકમાં પાણીની સમસ્યાનો હલ લાવવા તમામ તાકાત લગાડવાની જાહેરાત કરી હતી. પાણીની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની તેમજ કોઈ પણ જાહેર કાર્યક્રમમાં હાજરી ન આપવાની જાહેરાત કરી હતી. જો કે હજુ સુધી પાણીની સમસ્યા યથાવત રહેવા પામી છે. અને લોકો તેમને,  તેમના વચન યાદ કરાવે છે. ત્યારે લોકોમાં સવાલ એ પણ ઉઠવા પામી રહ્યો છે કે સરકાર દિયોદર પંથકમાં પાણી ક્યારે લાવશે અને આ પાણીદાર નેતાના માથે પાઘડી ક્યારે બંધાશે?


લોકોના આકરા વ્હેણ સાંભળવા પડે છે


દિયોદર પંથકમાં પાણીની સમસ્યાનો કોઈ યોગ્ય ઉકેલ આવેલ નથી આમ કેશાજીનું આ મોટું નિવેદન હવામાં જ ઓગળી ગયું છે. જોકે વારંવાર દિયોદર પંથકના ખેડૂતો અને આગેવાનો કેશાજીને પોતાના વચનની યાદ આડકતરી રીતે દેવડાવતા જોવા મળે છે. હવે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યને ઘેરીને લોકો જવાબ માંગી રહ્યા છે, ત્યારે તેમના સવાલના જવાબ આપવામાં પણ ફાંફા પડી રહ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.