મહીસાગરના બાલાસિનોરમાં શિક્ષિકાની છેડતીના મામલે DEOએ આપ્યો તપાસનો આદેશ, આચાર્ય સામે નોંધાઇ ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-10-31 20:22:01

રાજ્યની શાળાઓમાં વિદ્યાદાન કરતા શિક્ષકો અને શિક્ષિકાઓનું ચારિત્ર્યનું સ્તર કથળી રહ્યું છે. મહીસાગરમાં ફરી એક ગુરુનું કાળું કરતૂત આવી સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બાલાસિનોર પ્રાથમિક શાળાના આચાર્યએ શિક્ષીકાની છેડતી કરી હોવાના અહેવાલ બાદ આ કિસ્સાએ શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જગાવી છે. શિક્ષિકાની છેડતી કરનારા આચાર્ય સામે પોલીસ ફરિયાદ નોધાઇ છે. આ જ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસનો આદેશ આપ્યો છે.


લંપટ આચાર્ય સામે કડક કાર્યવાહીની માગ


મહીસાગર જિલ્લાના બાલાસિનોરની પ્રાથમિક શાળાના આચાર્ય પર છેડતી નો આરોપ લાગ્યો હતો. હવે આ મામલે બાલાસિનોર પોલીસે ગુનો દાખલ કરી આગળની કાયૅવાહી હાથ ધરી છે. તળાવ દરવાજા સરકારી પ્રાથમિક શાળાના આચાર્યએ શિક્ષિકાની છેડતી કરી હતી. તેથી શિક્ષિકાએ આચાર્ય અબુબકર શેખ સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. લંપટ આચાર્ય સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી છેક ગાંધીનગર શિક્ષણ વિભાગને પણ રજૂઆત કરવામાં આવી હતી. શાળાના જ આચાર્યએ શિક્ષિકાની છેડતી કરી હોવાના કેસમાં જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસનો આદેશ આપ્યો છે અને છેડતીની સમગ્ર તપાસ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને સોંપવામાં આવી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.