ડેલ ટેકનોલોજી 6,650 કર્મચારીઓની છટણી કરશે, ખર્ચ ઘટાડવા કંપનીએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-02-06 19:18:33

વિશ્વની અગ્રણી ટેક કંપનીઓમાં છટણીની પ્રક્રિયા સતત ચાલુ જ છે. હવે ડેલ ટેક્નોલોજીએ તેના 6000થી વધુ કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે. મીડિયા અહેવાલો અનુસાર, ડેલ તેના વૈશ્વિક કર્મચારીઓના 5 ટકા ઘટાડવાની યોજના બનાવી રહી છે. જો આમ થશે તો કોમ્પ્યુટર બનાવતી કંપનીના લગભગ 6650 કર્મચારીઓની નોકરી જશે.


કંપનીના CEOએ શેઅર કરી નોટ


કંપનીના કો-ચીફ ઓપરેટિંગ ઓફિસર જેફ ક્લાર્કે તેમના કર્મચારીઓ સાથે શેર કરેલી નોટમાં જણાવ્યું હતું કે બજાર પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યું છે. કંપનીમાં છટણી બજારની સ્થિતિ પર આધારિત છે. તેમણે કહ્યું "અમે ભૂતકાળમાં પણ આર્થિક મંદીનો સામનો કર્યો છે અને વધુ મજબૂત બન્યા છીએ. કંપનીએ 2020માં પણ કોવિડ રોગચાળો આવ્યો ત્યારે આવી જ છટણીની જાહેરાત કરી હતી," 


પર્સનલ કમ્પ્યુટરના વેચાણમાં તીવ્ર ઘટાડો


બિઝનેસ વિશ્લેષક IDCએ જણાવ્યું હતું કે પ્રારંભિક ડેટા સૂચવે છે કે 2022 ના ચોથા ક્વાર્ટરમાં પર્સનલ કમ્પ્યુટર શિપમેન્ટમાં તીવ્ર ઘટાડો આવ્યો છે. IDC મુજબ, ડેલના શિપમેન્ટમાં મોટી કંપનીઓમાં 2021ની સરખામણીમાં 37 ટકાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ડેલ તેની લગભગ 55 ટકા આવક પર્સનલ કોમ્પ્યુટરના વેચાણમાંથી મેળવે છે. આ પહેલા ગત વર્ષે નવેમ્બરમાં HPએ પણ ત્રણ વર્ષ દરમિયાન 6 હજાર લોકોને હટાવવાની જાહેરાત કરી હતી.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.