Delhi Water Crisis : જળસંકટને લઈ આપ નેતા અતિશીના ઉપવાસ, એક એક બુંદ માટે લોકો તરસે અને બીજી તરફ... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-22 19:11:00

દિલ્હીમાં અત્યારે જળ સંકટ ચાલી રહ્યું છે. પાણીના એક એક ટીપાં માટે લોકો તરસી રહ્યા છે દિલ્હીમાં સરકાર આમ આદમી પાર્ટીની છે અને કોર્પોરેશનમાં પણ સરકાર aapની છે. લોકોને પાણી મળે તે માટે આમ આદમી પાર્ટીના નેતા ઉપવાસ પર બેઠા છે. શું એ લોકો પોતાની સામે જ ધરણા પર બેઠા છે, ઉપવાસ પર બેઠા છે?

અલગ અલગ રાજ્યોમાંથી દિલ્હીમાં આવી રહ્યું છે પાણી 

ઉનાળાના સમયમાં પાણીની ખેંચ પડતી હોય છે. જેને પાણી આસાનીથી મળી રહે છે તેને પાણીની કિંમત નથી હોતી પરંતુ પાણીની કિંમત શું છે તે લોકો સમજાવી શકશે જે પાણીની એક બુંદ માટે તરસે છે. દિલ્હીમાં જળ સંકટ ચરમસીમા પર છે. દિલ્હીમાં પાણીનો સપલાય મળે તે માટે દેશના અનેક રાજ્યોમાંથી પાણી મોકલવામાં આવી રહ્યું છે. દિલ્હીની પાણીની જરૂરિયાત હરિયાણા સરકાર યમુના નદીમાંથી, ઉત્તર પ્રદેશ સરકાર ગંગા નદીમાંથી અને પંજાબ સરકાર ભાકરા નાંગલ ડેમના પાણીથી પૂરી કરે છે. 



દિલ્હીના જળમંત્રી આતિશી ભૂખ હડતાળ પર બેઠા છે!

2023ના અહેવાલ મુજબ, દિલ્હીને યમુનામાંથી દરરોજ 389 મિલિયન ગેલન, ગંગા નદીમાંથી 253 મિલિયન ગેલન અને ભાકરા-નાંગલ (રાવી-બિયાસ નદી)માંથી 221 મિલિયન ગેલન પાણી મળતું હતું. પણ અત્યારે પાણીની કમી થઈ ત્યારે આપના નેતા એટલે દિલ્હી સરકાર એ આક્ષેપ કેરે છે કે હરિયાણાથી જે પાણી મળવાનું હતું એ નથી મળ્યું અને એટલેજ નેતાઓ ધરણા પર બેઠા છે દિલ્હીના જળ મંત્રી આતિશી હરિયાણામાંથી દરરોજ 100 મિલિયન ગેલન પાણીની માંગને લઈને ભૂખ હડતાળ પર છે. હડતાળ શરૂ કરતા પહેલા તેઓ રાજઘાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. 



આતિશીનો આરોપ છે કે... 

અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા, AAP સાંસદ સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજ પણ તેમની સાથે હાજર હતા. આતિશી દક્ષિણ દિલ્હીના ભોગલમાં ભૂખ હડતાળ પર છે. તેમનો આરોપ છે કે તમામ પ્રયાસો છતાં હરિયાણા સરકાર દિલ્હીના પાણીનો સંપૂર્ણ હિસ્સો છોડતી નથી. સાથે જ આ હડતાળમાં સંજય સિંહ પણ બેઠા છે તેમનું કહવું છે કે આ સખત ગરમીમાં પશુ-પક્ષીઓ માટે ધાબા પર પાણી રાખીએ છીએ. પાણીની પરબ  માણસો માટે ચલાવવામાં આવે છે, પરંતુ ભાજપના લોકો એટલા ક્રૂર છે કે તેઓ દિલ્હીની જનતાને પાણીના એક-એક ટીપા માટે તરસાવી રહ્યા છે.આતિશીએ તેમની હડતાલને જળ સત્યાગ્રહ ગણાવ્યું છે. 



શું છે દિલ્હીમાં જળસંકટના કારણો? 

દિલ્હીમાં જળ સંકટના બે કારણો છે - ગરમી અને પડોશી રાજ્યો પર નિર્ભરતા. દિલ્હી પાસે પોતાનો કોઈ પાણીનો સ્ત્રોત નથી. તે પાણી માટે પડોશી રાજ્યો પર નિર્ભર છે. દિલ્હી જલ બોર્ડ અનુસાર, આ વર્ષે દિલ્હીમાં દરરોજ 321 મિલિયન ગેલન પાણીની અછત છે.એટલે લોકો તડપી રહ્યા છે પણ એવું નથી કે દિલ્હી સરકારને અચાનક ખબર પડી કે પાણીની કમી થશે અરવિંદ કેજરીવાલ જ્યારે જેલ જઈ રહ્યા હતા ત્યારે પણ તેમણે આ વાત કરી હતી. જો કે વધારે ખરાબ વાત એ છે કે ત્યાં માણસો એક એક ટીપું પાણી માટે તરસે છે અને કેન્દ્ર સરકાર પ્રદર્શન રોકવા એમના પર જ પાણી છાંટી રહી છે..! હવે દિલ્લી સરકાર આ ધરણામાં કેટલી સફળ થાય છે એ સમય બતાવશે .....



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!