દિલ્હી અપડેટ: પોલીસ સામે સાહિલની કબુલાત, ઈગ્નોર કરતી હતી માટે સાક્ષી પર કર્યો હુમલો! હુમલાને લઈ સાહિલને નથી પછતાવો, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-30 13:18:44

દિલ્હીમાં 16 વર્ષની દીકરીની 20 વર્ષના છોકરાએ ખુલ્લેઆમ હત્યા કરી દીધી હતી. સાહિલ નામના વ્યક્તિએ સાક્ષીની ચપ્પાના ઘા મારી હત્યા કરી દીધી હતી ઉપરાંત માથા પર પથ્થર પણ માર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવારની છે. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી સાહિલ ફરાર થઈ ગયો હતો. પરંતુ પોલીસે થોડા સમયની અંદર જ તેને પકડી પાડ્યો હતો. કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે સાહિલની પૂછપરછ પણ કરી હતી પરંતુ મળતી માહિતી અનુસાર સાહિલને પોતાના કર્યા પર કોઈ પછતાવો નથી.

  

બ્રેક થવાને કારણે સાહિલે કરી હત્યા!      

મહિલાઓ પર હુમલા થવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે દિલ્હીથી એક એવા સમાચાર સામે આવ્યા હતા જેણે આખા દેશના રૂંવાડા ઉભા કરી દીધા હતા. દિલ્હીમાં ખુલ્લેઆમ 20 વર્ષના છોકરાએ 16 વર્ષની છોકરીની બેરહેમીથી હત્યા કરી દીધી હતી. પહેલા ચપ્પાના ઘા માર્યા અને તે બાદ પથ્થરથી માથા પર હુમલો કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકજ કરી લીધી છે. પોલીસ સમક્ષ આરોપીએ ગુન્હાની કબુલાત કરી લીધી છે. પૂછપરછ દરમિયાન સાહિલે કહ્યું કે તેને તેના ગુનાનો કોઈ અફસોસ નથી. ઘટના સમયે તે ખૂબ જ ગુસ્સામાં હતો. તેનું કારણએ પણ છે કે સાક્ષી ઘણા દિવસોથી તેને ઈગ્નોર કરી રહી હતી. 


સાહિલને નથી કોઈ પસ્તાવો!

વધુમાં પોલીસે કહ્યું કે સાક્ષી બ્રેક કરવા માગતી હતી. ઘણા દિવસોથી સાક્ષી તેને ઈગ્નોર કરતી હતી. બ્રેકઅપ કરવાનું હતું જેને કારણે તેણે સાહિલથી અંતર બનાવી લીધું હતું, જે તેને સહન ન થયું હતું. ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં પણ સાહિલ ગુસ્સામાં દેખાઈ રહ્યો છે. 20થી વધુ વખત સાહિલે ચપ્પાથી ઘા કર્યા અને તે બાદ પથ્થરથી મોઢા પર હુમલો કર્યો. ઘટનાને અંજામ આપી સાહિલ ફરાર થઈ ગયો હતો. દિલ્હી પોલીસે ઉત્તરપ્રદેશના બુલદશહરથી સાહિલની ધરપકડ કરી હતી. પોલીસ સમક્ષ આરોપીએ ગુન્હો કબૂલ કરી લીધો છે. અચાનક બ્રેકઅપ થવાને કારણે તેને ગુસ્સો આવ્યો હતો. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.