લાલુ યાદવના પરિવારને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આપ્યા જામીન, લેન્ડ ફોર જોબ કૌભાંડને લઈ સીબીઆઈ દ્વારા કરાઈ હતી ચાર્જશીટ દાખલ


  • Published By :
  • Published Date : 2023-03-15 15:13:02

લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે લાલુ યાદવ, રાબડી દેવી, મીસા ભારતી સહિત તમામ 16 લોકોને જામીન આપી દીધા છે. 50000ના બોન્ડ અંતર્ગત આ જામીન આપવામાં આવી છે. લેન્ડ ફોર જોબ સ્કેમને લઈ કેન્દ્રીય એજન્સી દ્વારા ચાર્જશીટ દાખલ કરાતા કોર્ટે તેમને સમન્સ પાઠવ્યું હતું અને હાજર રહેવા આદેશ આપ્યો હતો. આદેશ મળતા લાલુ યાદવ વ્હિલચેર પર પત્ની અને પુત્રી સાથે કોર્ટ પહોંચ્યા હતા. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે લાલુ યાદવ જ્યારે રેલ મંત્રી હતા ત્યારે રેલવેમાં લોકોને નોકરીની બદલીમાં જમીન લેવાનો આરોપ છે.

 

કોર્ટ સમક્ષ હાજર થયો યાદવ પરિવાર    

લેન્ડ ફોર જોબ કૌભાંડને લઈ સીબીઆઈ દ્વારા ચાર્જસીટ દાખલ કરવામાં આવી હતી જેને લઈ આજે કોર્ટ સમક્ષ યાદવ પરિવાર હાજર રહ્યો હતો. સમન્સ જારી કરીને હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે બાદ આજે કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. જમીનની બદલીમાં નોકરી આપવાના કથિત કૌભાંડને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે. એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે જ્યારે તેઓ રેલ મંત્રી હતા ત્યારે વર્ષ 2004થી 2009 દરમિયાન તેમણે અને તેમના પરિવારના સભ્યોએ રેલવેમાં નોકરીના બદલામાં લોકો પાસેથી જમીન લીધી છે. આ કેસને લઈ 5 મહિના પહેલા ચાર્જસીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી 29 માર્ચના રોજ હાથ ધરાશે.

      


સીબીઆઈએ રાબડી દેવીના ઘરે પાડ્યા હતા દરોડા  

એક તરફ સીબીઆઈએ રેલવેમાં નોકરીના બદલીમાં જમીન લેવાનો આરોપ લગાવ્યો છે તો બીજી તરફ ઈડી પણ મની લોન્ડરિંગ કેસને લઈ તપાસ કરી રહી છે. થોડા દિવસો પહેલા રાબડી દેવીના ઘરે સીબીઆઈની ટીમ પહોંચી હતી.સીબીઆઈની ટીમે રાબડીદેવીની પૂછપરછ કરી હતી. તે પછી સીબીઆઈની ટીમ મીસા ભારતીના ઘરે પહોંચી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી.      




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!