દિલ્હીમાં પ્રદુષણનું સ્તર ખતરનાક, AQI 450 વટાવતા ઓડ-ઈવનનો અમલ અને સ્કૂલો બંધ થશે


  • Published By :
  • Published Date : 2022-11-03 19:41:59


રાજધાની દિલ્હીમાં વધતા પ્રદૂષણ બાદ GRAPનું સ્ટેજ-4 શરૂ કરવામાં આવ્યું છે. રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ ચિંતાજનક સ્તરે છે અને આજે પણ સવારે ધુમ્મસ અને ધુમાડાના ગોટેગોટા છે. છેલ્લા કેટલાક દિવસોથી, દિલ્હીના ઘણા ભાગોમાં AQI 400 હતો, જ્યારે હવે તે 450ને વટાવી ગયો છે. આવી સ્થિતિમાં લોકો ખાસ કરીને વૃદ્ધો અને શાળાએ જતા બાળકોના સ્વાસ્થ્યની પણ ચિંતા વધી છે. આવી સ્થિતિમાં બાળકોને શાળાએ મોકલતા વાલીઓ પણ તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને, ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નો ચોથો તબક્કો લાગુ કરવામાં આવ્યો છે. એકવાર GRAP સ્ટેજ 4 લાગુ થઈ જાય પછી ઘણા નવા નિયંત્રણો લાદવામાં આવી શકે છે.


દિલ્હીમાં પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો


નિષ્ણાંતોએ અગાઉ પણ દિલ્હીમાં પ્રદૂષણનો ખતરા અંગે આગાહી કરી હતી તેમણે કહ્યું હતું કે હજુ ખતરો સમાપ્ત થયો નથી. દિવાળી વહેલી આવી ગઈ છે અને નવેમ્બર આવતાની સાથે જ પરિસ્થિતિ ખતરનાક બની જશે અને એવું થયું. ગયા વર્ષે પણ નવેમ્બરના અંતમાં દિલ્હીમાં પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો હતો. પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, આ વખતે 1 ઓક્ટોબરથી ગ્રાફ લાગુ છે અને ધીમે ધીમે વધતા પ્રદૂષણ સાથે, ગ્રાપ સ્ટેજ 3 લાગુ કરવામાં આવ્યો હતો અને ગુરુવારે 3જી નવેમ્બરના રોજ, ગ્રાફનો સ્ટેજ 4 પણ અમલમાં આવ્યો હતો.


GRAP સ્ટેજ-4, નવા નિયંત્રણો શું હશે?


ઓડ-ઈવન સિસ્ટમ લાગુ કરી શકાય છે. મતલબ કે એક દિવસ એકી સંખ્યા બહાર આવશે અને બીજા દિવસે બેકી સંખ્યા બહાર આવશે.


ઓફિસમાં 50 ટકા કામ સાથે સરકાર ઘરેથી કામ કરવાનો નિર્ણય પણ લઈ શકે છે.


શાળા-કોલેજો બંધ રહી શકે છે.


દિલ્હીમાં BS-6 સિવાયના ડીઝલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ


આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન સિવાય તમામ ઉદ્યોગો બંધ રહેશે.


હાઇવે, ફ્લાયઓવર, ઓવરબ્રિજ, પાવર ટ્રાન્સમિશન અને પાઇપલાઇન બાંધકામ બંધ રહેશે.


આવશ્યક ચીજવસ્તુઓનું વહન કરતી ટ્રકો સિવાયની ટ્રકો પર પ્રતિબંધ



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.