NewsClick વેબસાઈટ સાથે જોડાયેલા પત્રકારોને ત્યાં Delhi Policeના દરોડા, જાણો શું છે સમગ્ર મામલો અને શું કહ્યું અનુરાગ ઠાકુરે?


  • Published By :
  • Published Date : 2023-10-03 14:57:48

દિલ્હી પોલીસે NewsClick વેબસાઈટ સાથે જોડાયેલા પત્રકારોને ત્યાં દરોડા પાડ્યા છે. પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા આ રેડ કરવામાં આવી હતી. મંગળવાર સવારે દિલ્હી, નોયેડા અને ગાઝિયાબાદમાં રેડ કરી હતી. જે પત્રકારોને ત્યાં રેડ પાડવામાં આવી તેમાં પત્રકાર ઉર્મિલેશ અને અભિસાર શર્મા સહિત અનેક પત્રકારોના નામ શામિલ છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક સાથે 30 જગ્યાઓ પર છાપેમારી કરી હતી. આ રેડ દરમિયાન દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને ઘટના સ્થળેથી ઘણાબધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે લેપટોપ, મોબાઈલ જેવા સાધનોને જપ્ત કરાયા છે.

   

રેડ પડ્યા બાદ પત્રકારોએ આપી આ પ્રતિક્રિયા 

ભાષા સિંહ, ઉર્મિલેશ, પ્રબીર પુરકાયસ્થ, અભિસાર શર્મા, ઔનિંદ્યો ચક્રવતી અને સોહેલ હાશમીને ત્યાં રેડ કરવામાં આવી છે. ત્રીસથી વધુ જગ્યાએ પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. રેડ દરમિયાન ઈલેક્ટ્રોનિક પુરાવા અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્આ છે. ન્યુઝ ક્લિક પર વિદેશી ભંડોળ અંહે કેસ નોંધવામાં આવ્યો છે. અભિસાર શર્માએ ટ્વિટ કરી લખ્યું કે દિલ્હી પોલીસ મારા ઘરે આવી છે. મારું લેપટોપ અને મોબાઈલ ફોન લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બાદ ભાષા સિંહે લખ્યું કે પોતાના ફોનથી હું આ છેલ્લી ટ્વિટ કરી રહી છું. આ પછી દિલ્હી પોલીસે તેમનો ફોન જપ્ત કરી લીધો છે. 

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રેડ પર આપી પ્રતિક્રિયા 

દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસ, ચીન અને વિવાદાસ્પદ ન્યુઝ વેબસાઈટ ન્યુઝ ક્લિક એક જ નાળથી જોડાયેલા છે. જ્યારે હું ન્યૂઝ ક્લિક અને તેના ફંડિંગ વિશે વાત કરું છું ત્યારે ભારતમાં તેની વિરુદ્ધ દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં રૂપિયા ક્યાંથી લેવાયા અને ક્યાંથી આવ્યા તેની માહિતી છે. જો તમે તેમના ફંડિંગ નેટવર્ક પર નજર નાખો, તો નવલરાય સિંઘમે તેને ભંડોળ પૂરું પાડ્યું હતું. તેને ચીનથી ફંડિંગ મળ્યું હતું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.