દિલ્હીના નાંગલોઈમાં મોહરમના જુલૂસમાં પથ્થરમારા બાદ પોલીસે FIR નોંધી, CCTV પરથી આરોપીની થઈ ઓળખ


  • Published By :
  • Published Date : 2023-07-30 14:19:54

રાજધાની દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં શનિવારે સાંજે મોહરમના જુલૂસમાં અચાનક હંગામો થયો હતો. આ દરમિયાન ટોળાએ પોલીસ અને રાહદારીઓ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. તે જ સમયે, કેટલાક લોકો તલવારો ચલાવીને ભીડને ઉશ્કેરવાનો પ્રયાસ કરતા પણ જોવા મળ્યા હતા. હવે પોલીસે આ સમગ્ર મામલે 3 FIR નોંધી છે, જ્યારે CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ પણ કરી લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે મોહરમના જુલૂસમાં થયેલી હિંસામાં પોલીસકર્મીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા હતા.


પોલીસે FIR નોંધી


પોલીસે આ સમગ્ર મામલે 3 FIR નોંધી છે. પોલીસે આરોપી વિરુદ્ધ IPCની કલમ 147, 148, 149, 151, 152, 153, 186, 323, 324, 332, 353, 307, 427 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે CCTV ફૂટેજના આધારે અનેક આરોપીઓની ઓળખ પણ કરી લીધી છે.


શા માટે હિંસા થઈ?


નાંગલોઈના SHO પ્રભુ દયાલના નિવેદન પર નોંધવામાં આવેલી FIRમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસના જણાવ્યા  શનિવારે મોહરમ નિમિત્તે નાંગલોઈ વિસ્તારમાં તાજીયા જુલૂસ કાઢવામાં આવી રહ્યા હતા. જેમાં આઠથી દસ હજાર લોકો સામેલ હતા. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. સરઘસ કાઢતા પહેલા પોલીસે તાજીયા જુલૂસનો સંપૂર્ણ રૂટ આયોજકોને આપી દીધો હતો. આ તાજીયા જુલૂસ નાંગલોઈના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ નાંગલોઈ ચોક ખાતે સમાપ્ત થવાની હતી. બપોરે સરઘસ ચોકમાં પહોંચતા જ કેટલાક લોકોએ તેને સૂરજમલ સ્ટેડિયમ તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. તાજિયા જુલૂસમાં સામેલને લોકોને પોલીસે નિયત રૂટથી અલગ જતા રોક્યા તો તેમણે પોલીસ સાથે ધક્કામુક્કી કરી હતી. લોકોએ તેમને સૂરજમલ સ્ટેડિયમ જવા માટે દબાણ કરવા લાગ્યા હતા, જોકે સ્ટેડિયમની અંદર જવાની પરવાનગી નહોતી. જુલૂસમાં 6-7 હાથલારીઓ પર આવેલા તાજિયાના આયોજકોએ ભીડને સ્ટેડિયમની અંદર જવા માટે ઉશ્કેરવાનું શરૂ કર્યું હતું, આમાંથી કેટલાક લોકોના હાથમાં તલવાર, છરી, લોખંડના સળિયા, લાકડીઓ વગેરે જેવા હથિયારો હતા. પોલીસના ઇનકાર પર ભીડે પથ્થરમારો શરૂ કર્યો હતો, ભીડમાંના એક વ્યક્તિએ SI પર પણ છરી વડે હુમલો કર્યો હતો.



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે