દિલ્હીમાં હવે AAPની મેયર, શૈલી ઓબેરોયે ભાજપના રેખા ગુપ્તાને હરાવ્યા, MCDમાં 15 વર્ષ પછી ભાજપ બહાર


  • Published By :
  • Published Date : 2023-02-22 17:11:28

દિલ્હીમાં નગર નિગમની ચૂંટણીના લગભગ દોઢ મહિના બાદ 22 ફેબ્રુઆરી એટલે કે આજે થયેલી મેયરની ચૂંટણીમાં આપના કોર્પોર્ટેટર શૈલી ઓબેરોયએ જીતી લીધી છે. તેમણે ભાજપના રેખા ગુપ્તાને હરાવીને આ જીત મેળવી છે. આ ચૂંટણીમાં શૈલીને 150 અને ભાજપના રેખા ગુપ્તાને 116 મતો મળ્યા હતા. કોંગ્રેસના 9 કોર્પોરેટરોએ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આજની મેયરની ચૂંટણી શૈલી ઓબેરોય દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીના કારણે શાંતિપૂર્વક યોજાઈ શકી.


કોણ છે શૈલી ઓબેરોય?


આમ આદમી પાર્ટીની ટિકિટ પર શૈલી ઓબેરોયે દિલ્હીના પટેલ નગર વિધાનસભાના વોર્ડ નંબર 86થી કોર્પોરેટરની ચૂંટણી લડી જીત મેળવી હતી. જો કે તેમણે આ ચૂંટણી માત્ર 86 મતોથી જીતી હતી. તેમણે આ ચૂંટણીમાં ભાજપને દીપાલી કપૂરને હરાવ્યા હતા. 39 વર્ષીય શૈલી ઓબેરોયે જાનકી દેવી કોલેજ, દિલ્હી યુનિવર્સિટીમાંથી B.Com અને હિમાચલ યુનિવર્સિટીમાંથી M.Com.ની ડિગ્રી મેળવી છે. ત્યાર બાદ તેમણે એમફીલ અને પીએચડીની ડીગ્રીઓ મેળવી અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવ્યું છે. બિઝનેસ મેનેજમેન્ટના ક્ષેત્રમાં તેમના ઘણા સંશોધન પત્રો વિવિધ જર્નલમાં પ્રકાશિત થયા છે.   


જીત બાદ શું કહ્યું?


શૈલી ઓબેરોય દિલ્હીના મેયર બન્યા તે એટલા માટે પણ મહત્વનું છે કારણ કે તેમણે 14 વર્ષથી નિગમમાં એકહથ્થું શાસન કરતા ભાજપને ઉખાડી ફેંકી છે. તેમણે જીત બાદ દિલ્હીની જનતા વિશ્વાસ અપાવતા કહ્યું કે તે ગૃહને બંધારણીય રીતે ચલાવશે, તેમણે કહ્યું કે મને આશા છે કે સભ્યો પણ ગૃહની ગરીમા જાળવીને તેનું કામકાજ સારી રીતે ચલાવવામાં સહયોગ આપશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.