Delhi : Munna Bhaiની જેમ નકલી MBBS બની સર્જરી કરી કેટલાયના જીવ લીધા, પર્દાફાશ થતા આટલા લોકોની પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-11-17 10:25:30

નકલીનો પર્દાફાશ અનેક વખત થઈ રહ્યો છે. કોઈ વખત નકલી પીએમઓ અધિકારી મળી આવે છે તો કોઈ વખત નકલી સીએમઓ અધિકારીની પકડ થાય છે. અધિકારીઓ સુધી તો ઠીક હતું પરંતુ હવે તો નકલી ડોક્ટરો મળી આવી રહ્યા છે! નકલી ડોક્ટરોનો પર્દાફાશ થયો છે જે દિલ્હીના એક પ્રાઈવેટ મેડિકલ સેન્ટરથી સામે આવ્યો છે. જે ચાર ડોક્ટરોને પકડી પાડવામાં આવ્યા છે તેમાંથી બે સાચા ડોક્ટર હતા અને બે નકલી ડોક્ટર હતા. નકલી ડોક્ટરોમાં એક ડોક્ટરની પત્ની છે અને બીજી ઓપરેશન થિયેટર ટેકનિશિયન છે.

થોડા પૈસાની લાલચમાં લોકો બીજાની જીંદગી સાથે રમી રહ્યા છે! 

મોતના મેડિકલ સેન્ટરનો પર્દાફાશ થયો છે,અહીં એક નહિ પણ ચાર ચાર મુન્ના ભાઈ ઝડપાયા છે. આ સમાચાર સાંભળી તમે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા પહેલા સો વાર વિચારશો, કારણ કે ડોક્ટરના વેશમાં નકલી ડોક્ટરનું આખું મેડિકલ સેન્ટર ઝડપાયું છે. પોલીસે નકલી ડોકટરોની ટીમનો પર્દાફાશ પોલીસે કર્યો છે. ડોક્ટરો ન હોવા છતાં, ડોક્ટરો હોવાનો ઢોંગ કરીને સર્જરી કરીને લોકોની જીંદગી સાથે રમત રમી રહ્યા હતા. થોડા પૈસાના લોભને કારણે અને નકલી ડોક્ટરોની બેદરકારીના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 

અગ્રવાલ મેડિકલ સેન્ટરમાં ચાલતું હતું આ કાંડ!  

આ મામલો રાજધાની દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારનો છે. અહીં નકલી ડોક્ટરો કોઈપણ પ્રકારની મેડિકલ લાયકાત વગર સર્જરી કરતા હતા. દિલ્હી પોલીસે ઘટનાસ્થળેથી 4 લોકોની ધરપકડ કરી છે. અસલી ડોક્ટર અને નકલી ડોક્ટરનો આ મેડકિલ સેન્ટરમાં ખેલ ચાલતો હતો પોલીસે જણાવ્યું કે આ ગેંગ ગ્રેટર કૈલાશ  ના E બ્લોકમાં એક નર્સિંગ હોમ ચલાવતી હતી.આ મેડિકલ સેન્ટરનું નામ અગ્રવાલ મેડિકલ સેન્ટર છે જ્યાં સ્પષ્ટ રીતે એવું પણ લખવામાં આવ્યું છે કે આ હોસ્પિટલ ગવર્મેન્ટ approved છે. દિલ્હી પોલીસને એક મહિલાએ ફરિયાદ કરી હતી કે આ હોસ્પિટલએ તેમના પતિની ખોટી સર્જરી કરી છે અને જીવ લઇ લીધો છે. જેની પોલીસ દ્વારા તપાસ કરતા આ ભાંડાફોડ થયો છે અને પોલીસે ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.