જજ યશવંત વર્માને કરાયા તમામ જવાબદારીમાંથી મુક્ત!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-24 21:45:39

તમને યાદ તો હશે જ દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્મા . જેમના ઘરે હોળીની રાતે આગ લાગી અને જયારે ફાયર બ્રિગેડ તેમના ઘરે આગ ઓલવવા પહોંચી ત્યારે તેમના ઘરેથી કેશના બંડલ મળી આવ્યા હતા . જજ યશવંત વર્માના લીધે રાજ્યસભામાં પણ જબરદસ્ત હોબાળો મચી ગયો હતો . હવે સમાચાર સામે આવી રહ્યા છે કે , દિલ્હી હાઈકૉર્ટે તેમને તમામ ન્યાય બજાવવાની ફરજ માંથી મુક્ત કરી દીધા છે સાથે જ રજા પર જતા રહેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે . દિલ્હી હાઇકોર્ટના જજ  યશવંત વર્મા કે જેમના ઘરેથી કેશનો ઢગલો જયારે આગ લાગી ત્યારે મળી આવ્યો હતો . તે પછી હવે દિલ્હી હાઈકૉર્ટે તેમને રજા પર મોકલી દેવાનો આદેશ આપ્યો છે . સાથે જ જ્યાં સુધી તપાસ પુરી નથી થતી ત્યાં સુધી તેમને ન્યાયિક કાર્યોથી દૂર રાખવાનો આદેશ પણ જજ યશવંત વર્માને આપવામાં આવ્યો છે . આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે જે ઈન હાઉસ કમિટી બનાવી છે તેનો પૂરો રિપોર્ટ આવી જાય પછી જ ખબર પડશે કે , તેમની કઈ હાઈકૉર્ટમાં ટ્રાન્સફર કરવી જોઈએ. 

नोट कांड में घिरे जज यशवंत वर्मा अदालती सुनवाई से किए गए अलग, CJI के  निर्देश पर एक्शन - justice Yashwant Verma removed from judicial work action  taken on CJI direction ntc -

સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ પણ લગાવવામાં આવી છે જેમાં માંગ કરાઈ છે કે, યશવંત વર્માની વિરુદ્ધમાં આ સમગ્ર મામલે એફઆઈઆર દાખલ કરો . આ મામલે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનકરે પોતાની ચેમ્બરમાં મિટિંગ બોલાવી હતી જેમાં મલ્લિકાર્જુન ખરગે અને જે પી નડ્ડા હાજર રહ્યા હતા . વાત કરીએ યશવંત વર્માની તો તે તો એવું જ કહે છે કે , મારા ઘરે આ નોટો કોઈ મૂકી ગયું હતું . આ આખા મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ ત્રણ સદસ્યોની એક ન્યાયિક કમિટી બેસાડી છે જેમાં જસ્ટિસ શીલ નાગુ કે જેઓ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ છે , જસ્ટિસ જીએસ સધાવાલિયા કે જેઓ હિમાચલ પ્રદેશની હાઇકોર્ટના ચીફ જસ્ટિસ છે સાથે જ કર્ણાટક હાઇકોર્ટના એક જજ અનુ શિવરમન આ કમિટીનો હિસ્સો છે . દિલ્હી હાઈકૉર્ટે એ પણ જાહેરાત કરી છે કે , યશવંત વર્મા જેટલા પણ કેસોની સુનાવણી કરી રહ્યા હતા હવેથી તેની સુનાવણી દિલ્હી હાઇકોર્ટના જજ સુબ્રમણ્યમ પ્રસાદ અને બીજા જજ હરીશ વી શંકર કરશે . 

આ આખો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જયારે જજ યશવંત વર્માના ઘરે કે જે તુઘલક રોડ પર આવેલું છે ત્યાં માર્ચની ૧૪ તારીખે રાતે આગ લાગી હતી. ઘરે માત્ર તેમના વૃદ્ધ માતા અને દીકરી જ હતા . પણ જયારે ફાયરબ્રિગેડ અને પોલીસ પહોંચ્યા ત્યારે તેમના ઘરેથી કેશના બંડલ મળી આવ્યા હતા . તે સમયે જજ યશવંત વર્મા અને તેમના પત્ની ભોપાલમાં હતા . માર્ચની ૨૦ , તારીખે કોલેજિયમ દ્વારા તેમને અલ્હાબાદ હાઈકૉર્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ અલ્હાબાદ હાઇકોર્ટના બાર એસોસિયેશન દ્વારા તેનો ઉગ્ર વિરોધ નોંધાયો હતો . 

તો આ વિષયમાં જે પણ અપડેટ હશે અમે તમને આપીશું .



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!