Delhi : HighCourtએ મુખ્યમંત્રી Arvind Kejriwalને આપ્યો મોટો ઝટકો, ધરપકડને ચેલેન્જ કરતી અરજી કોર્ટે ફગાવી, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-04-09 17:41:51

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં છે. કથિત દારૂ કૌભાંડને લઈ તેમની ધરપકડ કરવામાં આવી છે. ઈડીએ અનેક વખત તેમને સમન્સ પાઠવ્યા હતા પરંતુ તે હાજર થયા ના હતા. ત્યારે ઈડી તેમના ઘરે પહોંચી હતી અને કલાકો સુધી પૂછપરછ કરી અને અંતે તેમની ધરપકડ કરી લેવામાં આવી. ત્યારે દિલ્હી લિકર પોલિસી કેસમાં આજે સુનાવણી થઈ હતી. દિલ્હીના લિકર પૉલિસી કૌભાંડ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો આવી ચૂક્યો છે. કેજરીવાલે પોતાની અરજી દ્વારા ધરપકડ અને ઈડી રિમાન્ડનો વિરોધ કર્યો હતો. જોકે હાઈકોર્ટ તરફથી કેજરીવાલને રાહત ન મળી. અને તેમને કોઈ રાહત નથી મળી.

 

ઈડીએ કરી છે અરવિંદ કેજરીવાલની ધરપકડ 

હાઈકોર્ટ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો મળ્યો છે. અરવિંદ કેજરીવાલને રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ધરપકડ કરી છે , અને આ ધરપકડ અને રિમાન્ડને અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકૉર્ટમાં પડકાર્યો હતો. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ અરવિંદ કેજરીવાલની આ અરજીને ફગાવી દીધી છે. અને કહ્યું છે કે આ આખો કેસ કેન્દ્ર સરકાર અને અરવિંદ કેજરીવાલ વચ્ચેનો નથી પણ ED અને કેજરીવાલ વચ્ચેનો કેસ છે. કેજરીવાલની મની લોન્ડરીગના કેસમાં ધરપકડ થઈ છે. ED પાસે પૂરતા પુરાવા છે. કોઈ પણ વ્યક્તિને કોઈ વિશેષાધિકાર નથી . તપાસ દરમ્યાન મુખ્યમંત્રીને છૂટ ના મળી શકે. જજ કાનૂનથી બંધાયેલા છે રાજનીતિથી નથી . 


શું થયું આજે કોર્ટમાં? 

આ રીતે દિલ્હી હાઈકોર્ટે માન્યું છે કે , અરવિંદ કેજરીવાલની ધરપકડથી સુપ્રીમ કોર્ટના કોઈ આદેશનું ઉલ્લંઘન થયું નથી . તેમને રિમાન્ડ પર મોકલવા તે પણ કાયદેસર છે . વધુમાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, તપાસ કોઈ વ્યક્તિની મરજી મુજબ ના ચાલે . આ પછી EDએ કહ્યું કે, અરજીકર્તા એટલે કે અરવિંદ કેજરીવાલ આ આખા કેસમાં સામેલ છે , કેટલાય નિવેદનો નોંધવામાં આવેલા છે. ઉલ્લેખનિય છે કે અરવિંદ કેજરીવાલે સરકારી સબુતો પર સવાલો ઉભા કર્યા છે . આની પર દિલ્હી હાઈકોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે , aprovarનું નિવેદન ED નહીં કોર્ટ લખે છે.  અને જો તમે સવાલ ઉઠાવો છો તો જજ પર સવાલ ઉઠાવી રહ્યા છો . ત્યારે જોવું રહ્યું કે આ મામલે શું નવા અપડેટ આવે છે.  



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.