Delhi : HighCourtએ મુખ્યમંત્રી Arvind Kejriwalને આપ્યો મોટો ઝટકો, ધરપકડને ચેલેન્જ કરતી અરજી કોર્ટે ફગાવી, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-04-09 17:41:51

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં છે. કથિત દારૂ કૌભાંડને લઈ તેમની ધરપકડ કરવામાં આવી છે. ઈડીએ અનેક વખત તેમને સમન્સ પાઠવ્યા હતા પરંતુ તે હાજર થયા ના હતા. ત્યારે ઈડી તેમના ઘરે પહોંચી હતી અને કલાકો સુધી પૂછપરછ કરી અને અંતે તેમની ધરપકડ કરી લેવામાં આવી. ત્યારે દિલ્હી લિકર પોલિસી કેસમાં આજે સુનાવણી થઈ હતી. દિલ્હીના લિકર પૉલિસી કૌભાંડ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો આવી ચૂક્યો છે. કેજરીવાલે પોતાની અરજી દ્વારા ધરપકડ અને ઈડી રિમાન્ડનો વિરોધ કર્યો હતો. જોકે હાઈકોર્ટ તરફથી કેજરીવાલને રાહત ન મળી. અને તેમને કોઈ રાહત નથી મળી.

 

ઈડીએ કરી છે અરવિંદ કેજરીવાલની ધરપકડ 

હાઈકોર્ટ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો મળ્યો છે. અરવિંદ કેજરીવાલને રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ધરપકડ કરી છે , અને આ ધરપકડ અને રિમાન્ડને અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકૉર્ટમાં પડકાર્યો હતો. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ અરવિંદ કેજરીવાલની આ અરજીને ફગાવી દીધી છે. અને કહ્યું છે કે આ આખો કેસ કેન્દ્ર સરકાર અને અરવિંદ કેજરીવાલ વચ્ચેનો નથી પણ ED અને કેજરીવાલ વચ્ચેનો કેસ છે. કેજરીવાલની મની લોન્ડરીગના કેસમાં ધરપકડ થઈ છે. ED પાસે પૂરતા પુરાવા છે. કોઈ પણ વ્યક્તિને કોઈ વિશેષાધિકાર નથી . તપાસ દરમ્યાન મુખ્યમંત્રીને છૂટ ના મળી શકે. જજ કાનૂનથી બંધાયેલા છે રાજનીતિથી નથી . 


શું થયું આજે કોર્ટમાં? 

આ રીતે દિલ્હી હાઈકોર્ટે માન્યું છે કે , અરવિંદ કેજરીવાલની ધરપકડથી સુપ્રીમ કોર્ટના કોઈ આદેશનું ઉલ્લંઘન થયું નથી . તેમને રિમાન્ડ પર મોકલવા તે પણ કાયદેસર છે . વધુમાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, તપાસ કોઈ વ્યક્તિની મરજી મુજબ ના ચાલે . આ પછી EDએ કહ્યું કે, અરજીકર્તા એટલે કે અરવિંદ કેજરીવાલ આ આખા કેસમાં સામેલ છે , કેટલાય નિવેદનો નોંધવામાં આવેલા છે. ઉલ્લેખનિય છે કે અરવિંદ કેજરીવાલે સરકારી સબુતો પર સવાલો ઉભા કર્યા છે . આની પર દિલ્હી હાઈકોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે , aprovarનું નિવેદન ED નહીં કોર્ટ લખે છે.  અને જો તમે સવાલ ઉઠાવો છો તો જજ પર સવાલ ઉઠાવી રહ્યા છો . ત્યારે જોવું રહ્યું કે આ મામલે શું નવા અપડેટ આવે છે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.