નોકરી કરતા લોકો માટે દિલ્હી સરકારે લીધો મહત્વનો નિર્ણય! ઓવરટાઈમ કરનાર કર્મચારીને મળશે ઓવરટાઈમના પૈસા!


  • Published By :
  • Published Date : 2023-05-01 17:37:25

અનેક લોકોની નોકરી એવી હોય છે કે  working hours બાદ પણ કામ કરવું પડતું હોય છે. જો ઓવર ટાઈમ કરવાનું આવે તો કર્મચારીઓના મોઢા પડી જતાં હોય છે. ત્યારે દિલ્હી સરકારે એક મોટી જાહેરાત કરી છે. દેશની રાજધાની દિલ્હીથી સમાચાર આવ્યા કે ઓવરટાઈમ કરતા લોકોને હવે પોતાની મહેનતના પૈસા મળવાના છે. જો એક દિવસમાં 8 કલાકથી વધુ કામ કરશો તો તેને ઓવરટાઈમ કહેવાશે અને જો અઠવાડિયામાં તમે 48 કલાકથી વધુ કામ કરશો તો ઓવરટાઈમ માનવામાં આવશે. 


ઓવરટાઈમ કરવાના પણ મળશે રૂપિયા!

દિલ્હીની કેજરીવાલ સરકારે શ્રમ વિભાગ દ્વારા આપવામાં આવેલા  પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. દિલ્હી સરકારના નવા પ્રસ્તાવ મુજબ જો કોઈ કર્મચારી ઓવરટાઈમ કરશે તો તેને કલાકના હિસાબે રૂપિયા મળશે. પણ ઓવરટાઈમની સાથે તેની પણ લિમિટ નક્કી કરવામાં આવી છે. એટલે કે એક વ્યક્તિ 12 કલાકથી વધુ કામ નહીં કરી શકે. આ સિવાય કોઈ સતત સાત દિવસ પણ ઓવરટાઈમ નહીં કરી શકે. 


સરકારી કર્મચારીઓ માટે રજાની કરાઈ સુવિધા!

બીજી વસ્તુ એ છે કે અઠવાડિયામાં 60 કલાકથી વધુ કામ નહીં કરી શકે.. કેજરીવાલ સરકારે દિલ્હી સરકારમાં કામ કરતા કર્મચારીઓ માટે રજાની પણ સુવિધા નક્કી કરી છે.. સરકારી કર્મચારીઓને વેકેશનના સમયમાં અલગથી રજાઓ આપવામાં આવશે. આ સિવાય બીજી પણ જોગવાઈ અથવા તો સૂચનો કરવામાં આવ્યા છે. 


આ કર્મચારીઓને જ મળશે ઓવરટાઈમમાં કરાયેલા ફેરફારનો લાભ!

બીજી જોગવાઈની વાત કરીએ તો દિલ્હી સરકારે કહ્યું છે કે જો કર્મચારી કેમિકલ જેવી ફેક્ટરીમાં કામ કરતા હશે તો રેગ્યુલર હેલ્થચેકપ જરૂરી છે. કંપનીમાં કોઈ વ્યક્તિ સાથે દુર્ઘટના થાય તો 12 કલાકની અંદર શ્રમ વિભાગને માહિતી આપવી પડશે. કોઈ પણ ક્ષેત્રમાં જોઈનિંગ લેટર એટલે કે નોકરી મળી છે તેનો લેટર, એક્સપિરિયન્સ લેટર એટલે કે કંપનીમાં કેટલું કામ કર્યું અને કેટલો અનુભવ છે અને સેલેરી સ્લિપ આપવી ફરજિયાત હશે તેવી પણ જોગવાઈ કરી છે... મહત્વની વાત એ છે કે ઓવરટાઈમ વાળી વાત ખાલી સરકારી વ્યક્તિઓ માટે જ છે....



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!